હજુય શાળા-શિક્ષકોને બોધ નહીં! ઘેટાં-બકરાંની જેમ વિદ્યાર્થીઓને ટેમ્પોમાં ભર્યા વીડિયો વાયરલ

વડોદરાના હરણી તળાવની ઘટનામાં શાળાના માસૂમ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યાની ઘટના છતાં પણ જાણે કે હજુય બેદરકારી દાખવવામાં આવી રહી છે. સાબરકાંઠાના વડાલીમાં બે ટેમ્પોમાં ઘેટાં બકરાંની જેમ બાળકોને ભરીને લઈ જવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થવાની ઘટનાને લઈ મામલાની હવે તપાસ શરુ કરવામાં આવી છે.

| Updated on: Feb 10, 2024 | 4:15 PM

જ્યારે ઘટના સર્જાય ત્યાર બાદ તપાસના આદેશો છૂટતા હોય છે. જે રીતે ઘટના ઘટી હોય એ પ્રકારના વાહનો અને ચીજોને લઈ તપાસ કરવાના અને હાલ પૂરતા તેનો વપરાશ બંધ કરવાના આદેશ થતા હોય છે. પરંતુ થોડાક દિવસો બાદ જાણે પાછું હતું એમના એમ જ. હરણી તળાવની ઘટનામાં માસૂમ વિદ્યાર્થીઓ જીવ ગુમાવ્યા છતાં પણ શાળાના શિક્ષકો અને આચર્યોમાં જાગૃતિ ના આવી હોય એવા દ્રશ્યો સાબરકાંઠાના વડાલીમાં સામે આવ્યા છે.

વડાલીની પ્રાથમિક શાળા નંબર-2 ના વિદ્યાર્થીઓને ઘેટા-બકરાંની જેમ જ બે અલગ અલગ ટેમ્પોમાં ભરવામા આવ્યા હતા. ટેમ્પોમાં ભરીને આ બાળકોને પ્રિ-વેકેશન કેમ્પ માટે ચોરીવાડની શાળામાં લઈ જવાતા હોવાનું સામે આવ્યું છે. જીવના જોખમે આ રીતે બાળકોને એકથી બીજી શાળાએ લઇ જવાના આ વીડિયોમાં અકસ્માત સર્જાય તો જવાબદારી કોની એવા સવાલો પેદા થઇ રહ્યા છે.

આ પણ વાંચો:  સાબરડેરીની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, 10 માર્ચે થશે મતદાન, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

ડિયો વાયરલ થવા બાદ હવે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા તપાસના આદેશ અપાયા છે. ડીપીઇઓ કેયુર ઉપાધ્યાયે ટીવી9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, આ મામલે તાલુકા અધિકારી પાસે રિપોર્ટ મંગાવ્યો છે. મામલાની પ્રાથમિક તપાસ બાદ આગળ કાર્યવાહી જેતે શાળા અને અને તેના જવાબદાર કર્મચારીઓ સામે કરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">