બનાસકાંઠાના તાલીમી PSIએ રજા મેળવવા માટે તરકટ રચ્યું, ભાંડો ફૂટતા પોલીસ ફરિયાદ નોંધાઈ

કરાઈ પોલીસ તાલીમ એકેડમીમાં તાલીમ મેળવી રહેલા વર્ષ 2023 ની બેચના તાલીમાર્થી પીએસઆઈએ નોકરી શરુ કરતા અગાઉ જ તરકટ રચી દીધું હતુ. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સાગરા ગામનો તાલીમાર્થી PSI મુન્ના હમીરભાઈ આલે પોતાના સગાઈ હોવાની ખોટી કંકોત્રી છપાવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2024 | 10:51 PM

ગાંધીનગરના કરાઈ પોલીસ તાલીમ એકેડમીમાં તાલીમ મેળવી રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરે રજા મેળવવા માટે તરકટ રચવાને લઈ ફરજ મોકુફ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સાગરા ગામનો તાલીમાર્થી PSI મુન્ના હમીરભાઈ આલે પોતાના સગાઈ હોવાની ખોટી કંકોત્રી છપાવી હતી. જેને લઈ આ મામલે પ્રાથમિક તપાસમાં જ મામલો અલગ જ હોવાની આશંકા થતા ડભોડા પોલીસ મથકે ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે.

આ પણ વાંચો: સાબરડેરી ચૂંટણીઃ ગાય, ભેંસ કે બકરી નહીં તોય દૂધ મંડળીમાં સભાસદ! પૂર્વ ચેરમેન સામે તપાસની માંગ કરાઈ

કરાઈ પોલીસ તાલીમ એકેડમીમાં તાલીમ મેળવી રહેલા વર્ષ 2023 ની બેચના તાલીમાર્થી પીએસઆઈએ નોકરી શરુ કરતા અગાઉ જ તરકટ રચી દીધું હતુ. આ માટે પોતાની સગાઈ કંકોત્રી છપાવી દીધી હતી. જે બોગસ જ છાપીને રજૂ કરી હતી. જેમાં ગત ડીસેમ્બરની પહેલી તારીખે સગાઈ હોવાનું અને એ નિમિત્તે ભોજન સમારંભ રાખેલ હોવાનું કહી રજા મંજૂર કરવા માટે અરજી કરી હતી. જે અનુસંધાને રજા પણ મંજૂર થઈ ગઈ હતી. જોકે બાદમાં આ મામલે આશંકા જન્મતા જેની તપાસ પીઆઈ એચબી વાઘેલાને સોંપવામાં આવી હતી. આ દરમિયાન અગાઉ પણ ગેરશિસ્ત તાલીમ દરમિયાન આચરી હોવાનું જાણમાં આવતા તાલીમાર્થી પીએસઆઈ આલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">