AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી, 5 હજાર ખેડૂતોને ચુકવાયા 11 કરોડ 27 લાખ- Video

સુરત જિલ્લામાં ઓક્ટોબરમાં થયેલા માવઠાને કારણે પાકને થયેલા નુકસાન બદલ સરકારે ઝડપી સહાય ચૂકવી છે. માત્ર 10 દિવસમાં 5,589 ખેડૂતોને ₹11.27 કરોડની સહાય સીધી ખાતામાં જમા કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2025 | 9:24 PM
Share

રાજ્યના ખેડૂતોને પાક નુકસાનમાં સરકાર દ્વારા સહાયની ચૂકવણી કરાઈ છે. સુરતના ખેડૂતોને પણ લાભ મળતા જિલ્લાના ખેડૂતોને હાશ થઈ છે.

રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાન સામે ખેડૂતોને સહાય ચૂકવવાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી છે. સુરત શહેર અને જિલ્લામાં ઓક્ટોબર મહિનામાં પડેલા કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું હતું. આ નુકસાન બાદ, સુરત જિલ્લાના ખેડૂતોને માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં સહાયની ચૂકવણી શરૂ કરી દેવાતાં ખેડૂતોને મદદ મળી રહેશે.

સરકારે કુલ 5,589 ખેડૂતોના બેંક ખાતામાં ₹11 કરોડ 27 લાખની રકમ સીધી જમા કરી દીધી છે. ખેડૂત આગેવાનોએ સરકારની આ ત્વરિત કામગીરીને બિરદાવી છે. 5 ડિસેમ્બર સુધીમાં કુલ 19,295 ખેડૂતોએ પાક નુકસાન સહાય માટે અરજી કરી હતી, જેમને પણ તબક્કાવાર સહાય ચૂકવવામાં આવી રહી છે. સૌથી વધુ સહાય ઓલપાડ તાલુકામાં 2,006 ખેડૂતોને ₹4.91 કરોડની ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત માંડવી, મહુવા અને ઉમરપાડા તાલુકા પણ સહાય મેળવનાર ટોચના ચાર તાલુકાઓમાં સામેલ છે. ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લામાં 24,000થી વધુ ખેડૂતોને ₹51 કરોડથી વધુના નુકસાનનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. બાકીના અરજદારોને પણ આવનારા દિવસોમાં સહાય મળશે.

નર્મદા: સાંસદ મનસુખ વસાવાએ કર્યો વધુ એક ધડાકો, ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો કર્યો દાવો

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">