AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નર્મદા: સાંસદ મનસુખ વસાવાએ કર્યો વધુ એક ધડાકો, ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો કર્યો દાવો

નર્મદા: સાંસદ મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર મામલે વધુ એક ધડાકો કર્યો છે અને વધુ એક પત્ર મળ્યો હોવાનો દાવો કર્યો છે. આ નનામા પત્રમાં ભાજપ- આપના મોટા નેતાઓના નામ હોવાનો દાવો કરાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2025 | 8:37 PM
Share

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વધુ એક ધડાકો કર્યો છે. ભ્રષ્ટાચારના આક્ષેપો સાથેનો વધુ એક પત્ર મળ્યાનો વસાવાએ દાવો કર્યો છે. નનમાં પત્રમાં ભાજપ, આપના મોટા નેતાઓના નામ છે. નર્મદા જિલ્લામાં ચાલતા ભ્રષ્ટાચારના આંકડાઓનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. ગરૂડેશ્વરના ગભાણામાં રસ્તો બનાવવા એક નેતાએ તોડપાણી કર્યાનો આરોપ લગાવ્યો છે. ભ્રષ્ટાચારમાં આપ અને ભાજપ નેતાઓની મિલિભગતનો આરોપ લગાવ્યો છે. જિલ્લામાં આટલો ભ્રષ્ટાચાર હોય તો ખબર કેમ ન પડે તેવો સવાલ પણ વસાવાએ કર્યો છે.

તેમણે જણાવ્યુ કે આપના નેતાઓ આટલા આરોપ મુકે છે પરંતુ મારા સિવાય કોઈ બોલતું નથી. આ સાથે તેમણે આપ અને ભાજપના નેતા મળેલા હોવાનો પણ આક્ષેપ કર્યો. અગાઉ પણ મનસુખ વસાવાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ભ્રષ્ટાચારમાં AAP અને ભાજપના કેટલાંક નેતાઓની મિલિભગત છે. અલભત કોઈપણ પક્ષનો નેતા કેમ ન હોય તેના વિરુદ્ધ પગલાં લેવાશે.

આ તરફ સાંસદ મનસુખ વસાવા પર ચૈતર વસાવાએ પણ પલટવાર કર્યો છે. ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા સામે માનહાનિનો દાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે કહ્યુ અમારું નામ લેવાની તેમનામાં હિંમત નથી, અમારા પર આક્ષેપ કરો છો, તો પુરાવા આપો.વધુમાં ચૈતર વસાવાએ કહ્યુ કે નામ આપો નહીંતર માનહાનિનો કેસ કરીશું. ચૈતર વસાવાએ કહ્યુ કે ભજપના નેતાઓ કાર્યક્રમના ખોટા બિલ મુકે છે. અમે ખોટા બિલ સામે સવાલ ઉઠાવ્યો એટલે આક્ષેપ કર્યા.

વંદે માતરમ્: રાષ્ટ્રીય ચેતના જગાવનાર એ ગીત… જેનાથી થથરી ઉઠ્યા અંગ્રેજો અને બની ગયુ બ્રિટીશરોના વિરોધનું મજબૂત હથિયાર

કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video
દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video
ભાગેડુ નિરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં શંકાસ્પદ આગ
ભાગેડુ નિરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં શંકાસ્પદ આગ
આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે, લગ્ન જીવન માટે આ એક ઉત્તમ દિવસ છે
આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે, લગ્ન જીવન માટે આ એક ઉત્તમ દિવસ છે
ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video
ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
g clip-path="url(#clip0_868_265)">