Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઊર્જા મંત્રી કનુ દેસાઈએ ગૃહમાં આપી મહત્વની જાણકારી, 'ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ'

ઊર્જા મંત્રી કનુ દેસાઈએ ગૃહમાં આપી મહત્વની જાણકારી, ‘ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ’

Kinjal Mishra
| Edited By: | Updated on: Feb 21, 2024 | 1:31 PM

ઊર્જા મંત્રી કનુ દેસાઈએ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે હંમેશા ખેડૂતોના હિતની ચિંતા કરી છે. ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી તેમને મુક્તિ આપવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આજે કોંગ્રેસ દ્વારા 300 યુનિટ સુધી વીજ બીલ માફ કરવા અંગે પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. જેના જવાબમાં ઊર્જા મંત્રી કનુ દેસાઈએ ખેડૂતના હિતમાં રાજ્ય સરકાર દ્વારા ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ હોવાની માહિતી આપવામાં આવી હતી.

ઊર્જા મંત્રી કનુ દેસાઈએ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે હંમેશા ખેડૂતોના હિતની ચિંતા કરી છે. ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી તેમને મુક્તિ આપવામાં આવી છે.

તેમણે પેટા પ્રશ્નોનો જવાબ આપતા કહ્યું હતું કે,ખાનગી વીજ કંપનીઓ પાસેથી વીજ રેગ્યુલેટરિટીના નિયત કરેલા દર મુજબ જ વીજળીની ખરીદી કરવામાં આવે છે. અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ 2007માં 10 ટકા હતો, જેને વર્ષ 2012માં ઘટાડીને 7.50 ટકા કરવામાં આવ્યો છે, જેમાં પણ 250 યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલવામાં આવતો નથી.જ્યારે શહેરી વિસ્તારમાં અગાઉની સરકારમાં વર્ષ 1980માં 40 ટકા વીજ કર વસૂલવામાં આવતો હતો જે અમારી સરકારે ગ્રાહકોના હિતમાં વર્ષ 2006માં 20 ટકા અને વર્ષ 2012માં તેમાં પણ ઘટાડો કરીને 15 ટકા કરવામાં આવ્યો છે.

ઊર્જા મંત્રીએ જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતોને વીજબિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજબિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિત લક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. જે સંદર્ભે પંચમહાલ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 26,637 ખેડૂતોને વીજ બીલમાં વાર્ષિક 1.67 કરોડ રુપિયાની રાહત મળી છે.

આ પણ વાંચો- CBSE : ધોરણ-10ના ગુજરાતી પેપરમાં બહારના પ્રશ્નો પુછાયા, પરિણામમાં થઈ શકે છે નુકશાન

તેમણે કહ્યુ કે, પાટણ જિલ્લામાં 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં 13,109 ખેડૂતોને વીજ બિલમાં વાર્ષિક 6.05 કરોડની રાહત આપવામાં આવી છે. તે જ રીતે રાજકોટ જિલ્લામાં 1,62,325 ખેડૂતોને વીજબિલમાં વાર્ષિક 16.90 કરોડની ફિક્સ ચાર્જમાં રાહત આપવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Feb 21, 2024 01:15 PM
g clip-path="url(#clip0_868_265)">