AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE : ધોરણ-10ના ગુજરાતી પેપરમાં બહારના પ્રશ્નો પુછાયા, પરિણામમાં થઈ શકે છે નુકશાન

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા લેવાઇ રહેલી ધોરણ-10 ની ગુજરાતી વિષય પરીક્ષામાં અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછાયા હોવાની ફરિયાદ સામે આવી છે. ગુજરાતીના પેપરમાં 22 માર્કસના પ્રશ્નો અભ્યાસક્રમ બહારના પૂછાયા હતા. બહારના પ્રશ્નો પુછાતા વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે મૂંઝાયા હોવાની બાબતો સામે આવી છે. જે સંદર્ભે શાળાઓ CBSEમાં રજુઆત કરશે.

CBSE : ધોરણ-10ના ગુજરાતી પેપરમાં બહારના પ્રશ્નો પુછાયા, પરિણામમાં થઈ શકે છે નુકશાન
cbse std 10 gujarati paper
Narendra Rathod
| Edited By: | Updated on: Feb 21, 2024 | 12:55 PM
Share

20 ફેબ્રુઆરીએ CBSE બોર્ડ ધોરણ-10માં ગુજરાતી ભાષાનું પેપર હતું. 80 માર્કસના પ્રશ્નપત્રમાં 22 માર્ક્સના પ્રશ્નો અભ્યાસક્રમ બહારના પૂછાયા હોવાની ફરિયાદ વિદ્યાર્થીઓ અને નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, જે પ્રશ્નો પૂછાયા છે તે પૈકી 22 માર્ક્સના પ્રશ્નો અભ્યાસક્રમમાં જ નથી. CBSEમાં ગુજરાતી વિષયના નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે, પાઠ 2, 3 અને 5 માંથી સવાલ પૂછવામાં આવ્યા હતા.

શાળાઓએ CBSEમાં કર્યો રિપોર્ટ

આ ઉપરાંત એક કવિતા પણ પૂછવામાં આવી હતી. રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ પણ કોર્સની બહારનું પૂછવામાં આવ્યા છે તેવું કહેવામાં આવી રહ્યું છે. બહારના પ્રશ્નો પૂછવામાં આવતા પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા. જે બાબતે શાળાઓએ CBSEમાં રિપોર્ટ પણ કર્યો છે.

વિદ્યાર્થીઓના પરિણામમાં થઈ શકે છે નુકસાન

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી CBSE શાળાના ગુજરાતી વિષયના શિક્ષક રાજકર્તારસિંહ સૈની એ જણાવ્યું કે શરણાઈના સૂર, પ્રયાગ અને શ્વેતક્રાંતિના પ્રણેતા વિષય બહારના ટોપિક છે. આ સિવાય વિકલ્પમાંથી જવાબ આપવાના પ્રશ્નમાં વિકલ્પ જ આપવામાં આવ્યા ન હતા.

શાળાઓ CBSEમાં રજુઆત કરશે

તેમણે આગળ કહ્યું કે,  વિષય બહારના આ પ્રશ્નોના કારણે વિદ્યાર્થીઓને પરિણામમાં નુકસાન થઈ શકે છે. માટે આ બાબતે CBSE બોર્ડે કોઈ યોગ્ય નિર્ણય લેવો જોઈએ. આ સંદર્ભેમાં શાળાઓ CBSEમાં રજુઆત કરશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">