Porbandar Video : માછીમાર એસોસિએશનની બેઠક યોજાઈ, સમુદ્રમાં લાઇન અને લાઇટ ફિશિંગ રોકવા કાયદો બનાવાની માગ કરી

પોરબંદરમાં અખિલ ગુજરાત માછીમાર મંડળની એક બેઠક યોજવામાં આવી છે. જેમાં ગુજરાતના દરિયા કિનારે માછીમારી કરતા માછીમારો અને એસોસિએશન જોડાયા હતા.  આ બેઠકમાં પરંપરાગત માછીમારની વ્યાખ્યા નક્કી કરવા, લાઇટ ફિશિંગ, લાઇન ફિશિંગ જેવા અનેક મહત્વના મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2024 | 11:32 AM

પોરબંદરમાં અખિલ ગુજરાત માછીમાર મંડળની એક બેઠક યોજવામાં આવી છે. જેમાં ગુજરાતના દરિયા કિનારે માછીમારી કરતા માછીમારો અને એસોસિએશન જોડાયા હતા.  આ બેઠકમાં પરંપરાગત માછીમારની વ્યાખ્યા નક્કી કરવા, લાઇટ ફિશિંગ, લાઇન ફિશિંગ જેવા અનેક મહત્વના મુદ્દે ચર્ચા કરવામાં આવી છે.  માછીમાર સમાજે જણાવ્યું કે, કે લાઇન અને લાઇટ ફિશિંગથી નુકસાન થતું હોવાથી તેના પર રોક લગાવવામાં આવે. આ બાબતે સરકારમાં રજૂઆત કરીને કાયદો બનાવવા આવે છે.

તેમજ નક્કી કરેલા નિયમોનું પાલન કરવા અંગે બેઠકમાં ચર્ચા કરાઇ છે. વધુમાં તેમણે જણાવ્યું કે લાઈટ ફિશિંગ કરનાર લોકો સમુદ્રના પેટાળમાં હેવી લાઇટ નાંખીને માછલા સાથે તેના બચ્ચા અને ઇંડા પણ ઉઠાવી જાય છે. જેથી પર્યાવરણનું નિકંદન થઇ રહ્યું છે. લાઇન ફિશિંગ એટલે કે કેટલાંક લોકો એક સાથે માછીમારી કરતા હોવાથી નાના માછીમારો બેકાર બની જાય છે.

માછીમારી માટે સરકાર કાયદો બનાવે તેવી માગ

મહત્વનું છે કે રાજ્યના 1600 કિલોમીટરના સમુદ્રમાંથી લાખો માછીમારો પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે થોડા દિવસો પહેલા ઓખા બંદર પર 26 બોટ લાઇન ફિશિંગ કરતી પકડાઇ હતી.તેમના માછલા જપ્ત કરીને ઠપકો અપાયો હતો. તો આવું ફરી ન બને તે માટે બેઠક બોલાવાઇ હતી.  જેમાં પરંપરાગત માછીમારીનો વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે. તેમજ લાઇન અને લાઈટ ફિશિંગનો રોકીવા તેમજ કાર્યવાહી કરવા મુદ્દે ચર્ચા કરાઇ છે. આ સાથે સરકાર પણ આ બાબતે ત્વરિત નિર્ણય લે તેવી માગ કરી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">