પોલીસે ભાજપના ગુંડાઓને મદદ કરી, અમારી ફરિયાદ નહીં લેવાય તો 6 જુલાઈએ કોંગ્રેસ રોડ પર ઉતરશેઃ શક્તિસિંહ

અમે રાહુલ ગાંધીને ગુજરાત પ્રદેશ કાર્યાલય આવવા માટે વિનંતી કરી છે. થોડા દિવસોમાં રાહુલ ગાંધી પ્રદેશ કાર્યાલય કાર્યકરોને મળવા માટે આવશે. પોલીસને વિનંતી કે ભાજપના રવાડે ના ચડે, નહીંતર નિવૃતિ સમયે તકલીફ થઈ શકે છે. 

Narendra Rathod
| Edited By: | Updated on: Jul 04, 2024 | 3:38 PM

અમદાવાદના પાલડી ખાતે આવેલ કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયે, ભાજપના કાર્યકરોએ આવીને કરેલા પથ્થર મારા અંગે અમદાવાદ પોલીસે કોંગ્રેસની ફરિયાદ હજુ સુધી લીધી નથી તેના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરો આગામી 6 જુલાઈએ રોડ પર ઉતરશે તેમ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે કહ્યું છે. આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શક્તિસિંહે કહ્યું કે, પોલીસે ભાજપના ગુંડાઓને મદદ કરી છે. ભાજપના ગુંડાઓ જ્યારે કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો કરી રહ્યાં હતા ત્યારે પોલીસ બાજુમાં ઊભી હતી. દેશમાં અલમમાં આવેલા નવો કાયદો બહુ સ્પષ્ટ છે કે, ફરિયાદી પોલીસ સ્ટેશને પહોંચે તો તેની ફરિયાદ લેવી જોઈએ, આમ છતા પોલીસે કોંગ્રેસની ફરિયાદ નોંધી નથી.

શક્તિસિંહ ગોહીલે કહ્યું કે, પોલીસ અને ભાજપ આમને નિઃસહાય ના સમજે. અમે રોડ પર ઉતરી ભાજપ અને પોલીસનો સામનો કરીશું. કોંગ્રેસનો કાર્યકર બબ્બર શેર છે, એ ડરપોક નથી. કોઈની પણ પ્રિમાઇસિસમાં વોરન્ટ વગર ઘૂસવાનો પોલીસને અધિકાર નથી. અમે રાહુલ ગાંધીને ગુજરાત પ્રદેશ કાર્યાલય આવવા માટે વિનંતી કરી છે. થોડા દિવસોમાં રાહુલ ગાંધી પ્રદેશ કાર્યાલય કાર્યકરોને મળવા માટે આવશે. પોલીસને વિનંતી કે ભાજપના રવાડે ના ચડે, નહીંતર નિવૃતિ સમયે તકલીફ થઈ શકે છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના ગુંડાઓ સામે પોલીસ કાર્યવાહી નહીં થાય તો 6 જુલાઈએ કોંગ્રેસ રોડ પર ઉતરશે. 6 જુલાઈએ કોગ્રેસનો કાર્યકર પ્રદેશ કાર્યાલયથી રસ્તા પર ઉતરશે. અમે ઇચ્છતા તો રથયાત્રાના દિવસે પણ આ કોલ આપી શકતા હતા. પોલીસ અધિકારીઓ સામે જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી જઈશું. બજરંગ દળના ટોળા આવવા અંગે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, આ લોકોની ગુંડાગીરી હજી પણ અટકતી નથી. અમે પણ ડરપોક નથી, આવો બજરંગદળને કહીએ છીએ કે અમે કાર્યાલય પર જ બેઠા છીએ. આ લોકો જેટલા ઉધામા કરશે એ બાબત રાહુલ ગાંધીના દાવાઓને સાબિત કરશે, શિવભક્ત ગુજરાતીઓ ભાજપને ઓળખી ગયા છે. 2027 માં ગુજરાત ભાજપને જવાબ આપશે.

 

Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">