Ahmedabad Video : વસ્ત્રાલમાં આતંક ફેલાવનાર કપિરાજ આખરે પાંજરે પુરાયો, 10થી વધારે લોકોને ભર્યા હતા બચકાં

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં કપિરાજનો આતંક જોવા મળ્યો છે. જેને આશરે 10થી વધારે લોકો પર હુમલો કર્યો હતો. જેને વન વિભાગે પાંજરે પુરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Ronak Varma
| Edited By: | Updated on: Jul 09, 2024 | 3:59 PM

અમદાવાદમાં આશરે 5 મહિના બાદ ફરી એક વાર કપિરાજનો આંતક જોવા મળ્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા રહીશો કપિરાજથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વસ્ત્રાલમાં આવેલી શ્રીધર સ્પર્શ નામની સોસાયટીમાં 15 વર્ષી રુદ્ર પંચાલ નામના બાળક પર કપિરાજે હુમલો કર્યો છે. બાળક પર કપિરાજે કરેલા હુમલાના cctv સામે આવ્યા છે.

10થી વધારે લોકો પર કર્યો હુમલો

મળતી માહિતી અનુસાર 10 દિવસ અગાઉ તક્ષશિલા સોસાયટીમાં આશરે 10 લોકોને કપિરાજે બચકાં ભર્યા હતા. જેના પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. કપિરાજના આતંકના કારણે સોસાયટીમાં લોકોને દંડા લઈને ધ્યાન રાખવાની ફરજ પડી.

આખરે કપિરાજ પાંજરે પૂરાયા

આ સમગ્ર ઘટના અંગે સ્થાનિકો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી છે. વન વિભાગે દ્વારા આતંક ફેલાવનાર કપિરાજને પકડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. વસ્ત્રાલની શ્રીધર સ્પર્શ નામની સોસાયટીમાંથી વન વિભાગે હુમલાખોર કપિરાજને પકડીને પાંજરે પૂરવામાં આવ્યો છે. કપિરાજ પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">