ખેડા : નડિયાદમાં આધેડના આપઘાતથી ચકચાર, સામાજિક બહિષ્કારથી મોત થયાનો આક્ષેપ, જુઓ વીડિયો
નડિયાદ તાલુકાના દાવડા ગામે પથુખાડ વિસ્તારમાં એક આધેડના આપઘાતથી ચકચાર મચ્યો છે. આક્ષેપ છે કે સામાજિક બહિષ્કારથી કંટાળીને આધેડે આપઘાત કર્યો છે. મૃતકની સુસાઈડ નોટમાં લખવામાં આવ્યુ છે કે સમાજના પ્રમુખ-ઉપપ્રમુખ, કમિટી સભ્યો મળી કુલ 14 લોકોએ તેમને મરવા મજબૂર કર્યા હતા.
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના દાવડા ગામે પથુખાડ વિસ્તારમાં એક આધેડના આપઘાતથી ચકચાર મચ્યો છે. આક્ષેપ છે કે સામાજિક બહિષ્કારથી કંટાળીને આધેડે આપઘાત કર્યો છે. મૃતકની સુસાઈડ નોટમાં લખવામાં આવ્યુ છે કે સમાજના પ્રમુખ-ઉપપ્રમુખ, કમિટી સભ્યો મળી કુલ 14 લોકોએ તેમને મરવા મજબૂર કર્યા હતા.
આ પણ વાંચો- ગુજરાતમાં 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયુ, 10.73 લાખ હેક્ટરમાં માત્ર ઘઉંની જ વાવણી
સામાજિક બહિષ્કારના કારણની વાત કરીએ તો કૌટુંબિક રીતે ભાઈ-બહેન થતા યુવક-યુવતીના લગ્નથી તેમનો સામાજિક બહિષ્કાર કરાયો હતો. પોલીસે મૃતક કનુ પરમારનો મોબાઇલ કબજે કર્યો છે તેમજ ઘટનાસ્થળે પંચનામું કરી તપાસ શરૂ કરી છે. સુસાઈડ નોટના આધારે 14 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News