AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahisagar News : કડાણા ડેમની જળસપાટીમાં વધારો, નદીકાંઠા વિસ્તારના 5 જિલ્લાના 235 ગામને એલર્ટ કરાયા, જુઓ Video

Mahisagar News : કડાણા ડેમની જળસપાટીમાં વધારો, નદીકાંઠા વિસ્તારના 5 જિલ્લાના 235 ગામને એલર્ટ કરાયા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2024 | 4:22 PM
Share

મહીસાગરના કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાયું છે. ડેમમાં સતત પાણીની આવક થતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. કડાણા ડેમની સપાટી 418.7 ફૂટે પહોંચી છે.

મહીસાગરના કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાયું છે. ડેમમાં સતત પાણીની આવક થતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. કડાણા ડેમની સપાટી 418.7 ફૂટે પહોંચી છે. જેના પગલે કડાણા ડેમના 10 દરવાજા 3 ફૂટ ખોલીને 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. જેના પગલે મહીનદીકાંઠાના 5 જિલ્લાના 235 ગામને એલર્ટ કરાયા છે. વડોદરાના 49, આણંદના 26, ખેડાના 32 ગામને એલર્ટ આપવામાં આવ્યુ છે. તેમજ પંચમહાલના 18 અને મહીસાગરના 110 ગામને એલર્ટ કરાયા છે.

ધરોઈ ડેમની જળ સપાટીમાં વધારો

બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે. હાલમાં ધરોઈ ડેમ 85 ટકા ભરાયો છે. ધરોઈ ડેમની જળ સપાટી 618.07 ફૂટ થઈ છે. ધરોઈ ડેમની કુલ જળ સપાટી 622 ફૂટ આવ્યા છે. ડેમમાં હાલમાં 1157 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. વરસાદી પાણીની આવક વધતા જળ સ્ટોક વધ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">