ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધનું જાહેરનામુ કરાયુ જાહેર, પ્લાસ્ટિક મળશે તો વસુલાશે દંડ- વીડિયો

જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન ભવનાથ તળેટીમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ મેળા દરમિયાન જો પ્લાસ્ટિક પકડાશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ તરફ વેપારીઓએ આ નિર્ણયને તુઘલખી ગણાવતા પ્લાસ્ટિકનો વિકલ્પ આપવાની માગ કરી છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 29, 2024 | 10:15 PM

જુનાગઢ ગીરનાર અને ભવનાથ તળેટી સહિત આસપાસના ગામોમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવા તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું છે. તંત્રએ શિવરાત્રિના મેળા દરમિયાન પણ પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગીરનાર પર્વત પર પર્યાવરણ સંરક્ષણ અને કચરાની સફાઇ મુદ્દે છેલ્લા કેટલાંક સમયથી વિવાદ ચાલતો હતો. આ સફાઈ અંગેનો વિવાદ અને પ્લાસ્ટિકનો મુદ્દો હાઇકોર્ટ સુધી પણ પહોંચ્યો છે. ત્યારે હાઇકોર્ટની ફટકાર બાદ તંત્રએ પ્લાસ્ટિક પ્રતિબંધની કામગીરી કરી છે. તંત્રએ શ્રદ્ધાળુઓને પણ અપીલ કરી છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે. જો કોઇ વ્યક્તિ પાસે પ્લાસ્ટિક મળશે તો દંડનીય કાર્યવાહી કરાશે.

વેપારીઓએ તંત્રના પ્લાસ્ટિક પ્રતિબંધના નિર્ણય સામે નોંધાવ્યો વિરોધ

બીજી તરફ ગીરનાર અને ભવનાથ તળેટીના વેપારીઓએ તંત્રના નિર્ણયને તુઘલખી ગણાવીને વખોડ્યો છે. વેપારીઓએ કહ્યું કે, તેમને જ્યા સુધી પ્લાસ્ટિકનું અલ્ટરનેટ નહીં આપવામાં આવે. ત્યા સુધી પ્લાસ્ટિક બંધ નહીં કરે. તેઓ પ્લાસ્ટિકની વસ્તુઓનું વેચાણ કરશે. મહત્વનું છે, શિવરાત્રિના મેળા દરમિયાન શ્રદ્ધાળુઓનો ધસારો રહે છે. ત્યારે સૌથી વધારે પાણીની બોટલો સહિત પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓમાં વેચાણ થાય છે. તંત્રના આ નિર્ણયને પાછો ખેંચવાની માગ કરતા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

Input Credit- Vijaysinh Chudasma- Junagadh

આ પણ વાંચો: અમદાવાદમા ક્રેટા કારમાં હરતા ફરતા દારૂના ગોડાઉનનો પર્દાફાશ કરતું સ્ટેટ મોનીટરિંગ સેલ, ચોરખાનાનો વીડિયો જોઈ તમે પણ ચોંકી ઉઠશો

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">