Kutch : ફરી ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉછળ્યો, કચ્છના પશુપાલકને ધર્મપરિવર્તન કરવા મોટી લાલચ અપાઈ

29 એપ્રિલના રોજ હિન્દુ પરિવારને મળેલા નનામી પત્રની પોલીસને (Kutch Police) જાણ કરવામાં આવી છે. હાલ પોલીસે અરજીને આધારે ટીખળ માટે કે અન્ય કારણોસર પત્ર લખાયો તે દિશામાં તપાસ તેજ કરી છે.

Kutch : ફરી ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉછળ્યો, કચ્છના પશુપાલકને ધર્મપરિવર્તન કરવા મોટી લાલચ અપાઈ
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 2:25 PM

કચ્છના અબડાસાના (Abdasa Taluka)મુઠીયાર ગામના હિન્દુ પરિવારને(Hindu Family)  ધર્મ પરિવર્તન માટે નનામો પત્ર મળ્યો છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા હિન્દુ પરિવારને નામ જોગ પોસ્ટ મારફતે ધર્મ પરિવર્તન કરવા માટે પત્ર મોકલાયો છે. જેને લઇ હિન્દુ પરિવારે પોલીસને અરજી કરી છે. અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે ધર્મપરિવર્તન (Religion Conversion) કરવા માટે નાણાંકીય લાલચ આપવામાં આવી છે. ધર્મ પરિવર્તન માટે એક લાખથી 10 લાખની સહાય આપવા લાલચ આપવામાં આવી છે. 29 એપ્રિલ મળેલા નનામો પત્ર મળ્યા બાદ હાલ પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે (Kutch Police) અરજીને આધારે ટીખળ માટે કે અન્ય કારણોસર પત્ર લખાયો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

હિન્દુ પરિવારે કડક કાર્યવાહીની કરી માંગ

મળતી માહિતી મુજબ અબડાસા તાલુકાના મુઠિયા૨ ગામના રહેવાસી અને વ્યવસાયે પશુપાલક કરશનજી દેશરજી બારાચ દ્વારા નલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. કોઈ અજ્ઞાત શખ્સ દ્વારા  મોક્લવામાં આવેલો આ પત્ર 29 એપ્રિલના રોજ મળ્યો હતો. જેમાં નાણાની લાલચ સાથે નામ બદલી નાખવા અને ધર્મ પરિવર્તન કરવા માટે કોનો સંપર્ક કરવો તેની વિગતો લખાયેલી છે. આ મામલે પશુપાલકે નલિયા પોલીસને લેખિતમાં જાણ કરી હતી. તેમજ આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે અને પત્ર લખનાર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ફરીવાર રાજ્યમાં  ઘર્મપરિવર્તનનું ભુત ધૂણ્યું

આ ધર્મ પરિવર્તન પત્રમાં નામ બદલી નાખવા માટે કોને સંપર્ક કરવો તેવી વિગતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ત્યારે આ પત્ર પરથી આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, રાજ્યમાં ગરીબ લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે.ઉતર ગુજરાત ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ મોટાપાયે આ પ્રવૃત્તિઓ વધી રહી છે. આ પત્રને પગલે હાલ ફરીવાર ઘર્મપરિવર્તનનો મુદ્દો ઉછળ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">