Puja Ghar Vastu Tips : ઘરનાં મંદિરમાં આ વસ્તુઓ ક્યારેય રાખવી નહીં!
જો તમે દરરોજ સવારે અને સાંજે પૂરા દિલથી ભગવાનની પૂજા કરો છો, છતાં પણ તમને લાગે છે કે તમારા કાર્યમાં અવરોધો આવી રહ્યા છે તો તેના પાછળનું કારણ તમારા ઘરનાં મંદિરામાં રાખેલી વસ્તુઓ હોઈ શકે છે.

વાસ્તુશાસ્ત્રમાં ઘરના મંદિરમાં અમુક વસ્તુઓ મુકવી કે રાખવી પ્રતિબંધિત માનવામાં આવેલી છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી ઘરમાં પૂજા સ્થાન કરતાં વધુ પવિત્ર કોઈ સ્થાન નથી. જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર મંદિરને ઘરનું સૌથી પવિત્ર સ્થાન માને છે. સનાતન ધર્મમાં, ઘરમાં સુખ અને સમૃદ્ધિ જાળવવા અને નકારાત્મકતાને દૂર કરવા માટે નિયમિત સવાર અને સાંજની પ્રાર્થના કરવામાં આવે છે.
ભગવાનની મૂર્તિઓનું કદ શું હોવું જોઈએ?
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરનાં મંદિરામાં ભગવાનની મોટી મૂર્તિઓ મૂકવી નહીં. 3થી 6 ઇંચની મૂર્તિઓ રાખવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ આપણી આસપાસ ઊર્જાનો સતત પ્રવાહ જાળવી રાખે છે. જો કે ખૂબ મોટી મૂર્તિઓ મૂકવાથી પ્રતિકૂળ અસરો થઈ શકે છે. મંદિરોમાં મોટી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે જ્યાં વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે.
દેવી-દેવતાઓના ફોટા અને પ્રતિમાઓ માટેના નિયમો
જો તમે તમારા ઘરના મંદિરામાં એક જ દેવતાની બે મૂર્તિઓ સ્થાપિત કરી હોય, તો તરત જ એકને દૂર કરો. શાસ્ત્રો અનુસાર, આ શુભ નથી. એવું કહેવાય છે કે કોઈપણ દેવતાના બે ફોટા કે મૂર્તિઓ ન હોવી જોઈએ. ગણેશજીની વાત આવે ત્યારે આ ખાસ કરીને મહત્વપૂર્ણ છે. આખા ઘરમાં ભગવાન ગણેશજીની ત્રણથી વધુ મૂર્તિઓ ન હોવી જોઈએ. એવું કહેવાય છે કે આ શુભ કાર્યોમાં અવરોધ ઉભો કરે છે અને ઘરના લોકોના જીવન પર પણ નકારાત્મક અસર કરી શકે છે.
શંખની સંખ્યા
જો તમારા ઘરના મંદિરામાં 2 કે તેથી વધુ શંખ હોય તો એક સિવાય બધાને દૂર કરો. વાસ્તુ અનુસાર, તમારે તમારા ઘરના મંદિરમાં એક કરતાં વધુ શંખ ન રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આની આસપાસની ઉર્જા રહેવાસીઓ પર નકારાત્મક અસર પાડી શકે છે. જો તમે તમારી પ્રાર્થનાનો સંપૂર્ણ લાભ મેળવવા માંગતા હો, તો હંમેશા તમારા ઘરનાં મંદિરામાં ફક્ત એક જ શંખને રાખવું.
તૂટેલા વાસણોનો ઉપયોગ કરવો નહીં
તમારા ઘરના મંદિરમાં પ્લેટ, વાટકી, ગ્લાસ વગેરે જેવા તૂટેલા વાસણો રાખવા નહીં. પૂજા માટે આવા વાસણોનો ઉપયોગ કરવો અશુભ માનવામાં આવે છે. આનાથી ગ્રહદોષ પણ થઈ શકે છે. જેના કારણે વિવિધ સમસ્યાઓ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે આનાથી ઘરેલું મુશ્કેલીઓ અને કામમાં અવરોધો આવી શકે છે.
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ અને જ્યોતિષ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.
