ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી ઘટનાના સરકારમાં ઘેરા પ્રત્યાઘાત, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ યોજી બેઠક
ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી ઘટના અંગે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ બેઠક યોજી હતી. બેઠકમાં રાજ્યના DGP, અમદાવાદ પોલીસ કમિશનર સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર ઘટનાનો ગૃહમંત્રીએ અહેવાલ માંગ્યો છે.
ગુજરાત યુનિવર્સિટીમાં શનિવારે વિદેશી વિધાર્થીઓ પર હુમલાની ઘટના સામે આવી હતી. જાહેરમાં નમાઝ અદા કરવા અંગે સ્થાનિક વિદ્યાર્થીએ પૂછતા વિદેશી વિદ્યાર્થીએ તેને લાફો માર્યો અને ત્યાર પછી ઉશ્કેરાયેલા વિદ્યાર્થીના ટોળાએ અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટનાના સરકારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી ઘટના અંગે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ બેઠક યોજી હતી. બેઠકમાં રાજ્યના DGP, અમદાવાદ પોલીસ કમિશનર સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર ઘટનાનો ગૃહમંત્રીએ અહેવાલ માંગ્યો છે. બીજી તરફ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, ગ્યાસુદીન શેખ સહિતના મુસ્લિમ આગેવાનોએ ઈજાગ્રસ્ત થયેલા વિદેશી વિદ્યાર્થીઓની મુલાકાત લીધી અને હુમલાખોર સામે કાર્યવાહી કરવા માગણી કરી છે.
Latest Videos
Latest News