Vadodara : એનડીઆરએફની ચાર ટીમો મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત કોલ્હાપુરમાં બચાવ કામગીરી માટે રવાના
ભારતીય સેનાના ૫ હવાઈ જહાજોની મદદથી આ ટીમોને જરૂરી ઉપકરણો સાથે મહારાષ્ટ્રના પૂરપીડીત ક્ષેત્રમાં બચાવ અને રાહત કામગીરી માટે પહોંચાડવામાં આવી છે.
વડોદરા( Vadodara) થી NDRFની છઠ્ઠીથી બટાલિયનની 4 ટીમો તાત્કાલિક હવાઈ માર્ગે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત કોલ્હાપુર વિસ્તારમાં બચાવ કામગીરી માટે મોકલવામાં આવી છે. ભારતીય સેનાના ૫ હવાઈ જહાજોની મદદથી આ ટીમોને જરૂરી ઉપકરણો સાથે પૂરપીડીત ક્ષેત્રમાં બચાવ અને રાહત કામગીરી માટે પહોંચાડવામાં આવી છે. ટીમોના તાલીમબદ્ધ અને કુશળ જવાનો સ્થાનિક પ્રશાસન, પોલીસ અને બચાવ રાહત દળો સાથે કામગીરીમાં જોડાશે. કોલ્હાપુરથી આ ટુકડીને પુણે, સાંગલી અને સતારા જેવા વિસ્તારોમાં પણ બચાવ અને રાહત કામગીરી સોંપવામાં આવશે.
આ પણ વાંચો : True Story: DSP પરીક્ષીતા રાઠોડ પૂજા કરવા બેઠા અને પી.આઈ જાડેજાએ બે રાઉન્ડ ગોળીબાર કર્યા
આ પણ વાંચો : Tokyo Olympics: ઇલાવેનિલ અને અપૂર્વીની શાનદાર શરુઆત બાદ 10 મી એર રાઇફલમાં નિશાન ચુક્યા, મેડલની આશા સમાપ્ત
Latest Videos
Latest News