Ahmedabad : ઉસ્માનપુરા નજીક મેટ્રોના કામ દરમ્યાન સળિયા ઉપાડવા જતાં ક્રેન પડી, કોઇ જાનહાનિ નહિ
ઉસ્માનપુરા નજીક કામ સમયે લોખંડના સળિયા ઉપાડવા જતા ક્રેન પડવાનો બનાવ બન્યો હતો. જેમાં હાલ ક્રેનના ડ્રાઈવરનો કોઈ માહિતી નથી. જ્યારે એક થી બે લોકો સામાન્ય ઈજા પહોંચી છે.
અમદાવાદ(Ahmedabad) શહેરમાં મેટ્રો(Metro) ના કામ સમયે ઉસ્માનપુરા નજીક કામ સમયે લોખંડના સળિયા ઉપાડવા જતા ક્રેન પડવાનો બનાવ બન્યો હતો. જેમાં હાલ ક્રેનના ડ્રાઈવરનો કોઈ માહિતી નથી. જ્યારે એક થી બે લોકો સામાન્ય ઈજા પહોંચી છે. જ્યારે આ બીજી ક્રેનની મદદથી પડેલી ક્રેનને ઉપાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ જો ક્રેનનો થોડો ભાગ આગળ હોત તો સોસાયટીની દીવાલ અને મકાનને નુકસાન થયું હોત. જો કે આ સમયે કોઇ રાહદારી કે વાહન ચાલક નહી નીકળતા મોટી દુર્ઘટના ટળી હતી. જો કે સ્થાનિકો દ્વારા અગાઉ સ્લેબ પડયાનો બનાવ બન્યાનો પણ ખુલાસો કર્યો હતો.
આ પણ વાંચો : જો તમે સવારના રાંધેલા ભાત સાંજે અને સાંજના રાંધેલા ભાત સવારે ખાતા હોવ, તો આ તમારે ખાસ વાંચવુ
આ પણ વાંચો : Dudhsagar Waterfall Video: ભારે વરસાદને કારણે ગોવાના દૂધસાગર ઘોઘ પર રોકી ટ્રેન, રેલ મંત્રાલયે શેર કર્યો અદ્ભુત વિડીયો