AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમે સવારના રાંધેલા ભાત સાંજે અને સાંજના રાંધેલા ભાત સવારે ખાતા હોવ, તો આ તમારે ખાસ વાંચવુ

જો તમને ભાત ખાવાનું પસંદ હોય અને રાધેલા ભાત (Rice) વધ્યા પછી, બીજા દિવસે પણ એ ભાત ખૂબ જ આનંદથી ખાવ તો તમારે ખૂબ કાળજી લેવી જોઈએ. આમ કરવું તમારા માટે હાનિકારક પણ હોઈ શકે છે.

જો તમે સવારના રાંધેલા ભાત સાંજે અને સાંજના રાંધેલા ભાત સવારે ખાતા હોવ, તો આ તમારે ખાસ વાંચવુ
પ્રતીકાત્મક તસ્વીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 3:35 PM
Share

આપણને આદત હોય છે કે જ્યારે ઘરમાં થોડું જમવાનું બચ્યું હોય છે, ત્યારે આપણે તેનો ઉપયોગ બીજા જ દિવસ સુધી કરીએ છીએ. ઉદાહરણ તરીકે, જો રાતની બચેલી રોટલી છે, તો લોકો તેનો ઉપયોગ જુદી જુદી રીતે કરે છે. આ જ લોકો ભાતનો (Rice) ઉપયોગ પણ કરે છે. જો તમે પણ આ કરી રહ્યા છો. તો પછી તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ છે, નહીં તો, એક દિવસ આ ખરાબ ભાત તમને બીમાર પણ કરી શકે છે. હા, એક દિવસ જુના અથવા વાસી ભાત ખાવાથી પણ તમારા માટે સમસ્યા સર્જાય છે.

આવી સ્થિતિમાં આવો જાણીએ કે એક દિવસનાવાસી ભાત ખાવાથી શું નુકસાન થઈ શકે છે અને જો તમે ખાવ છો તો પછી તમારે આ બચેલા ભાતનો ઉપયોગ કેવી રીતે કરવો. જો તમે આ ટીપ્સને તમારી ટેવમાં શામેલ કરો છો તો તમે ઘણી મુશ્કેલીઓથી છૂટકારો મેળવી શકો છો.

શું વધેલા વાસી ભાત ખાવા સ્વાસ્થ્ય માટે ઠીક છે ? ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે બચેલા ભાત ખાવા તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ઈંગ્લેન્ડની રાષ્ટ્રીય આરોગ્ય સેવા પર આધારિત એક અહેવાલમાં લખવામાં આવ્યું છે કે વધેલા ભાટ ખાવા તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. આ સ્થિતિમાં, તમારે બીજા દિવસે વધેલા ભાત ખાવાનું પણ ટાળવું જોઈએ. આ અહેવાલ મુજબ તમે વાસી ભાત ખાવાથી ફૂડ પોઇઝનિંગની ફરિયાદ કરી શકો છો.

વાસી ભાતથી શું થાય છે ? આ અહેવાલ મુજબ, કેટલાક કાચા ભાતમાં જીવાણુ જોવા મળે છે. તો જયારે તમે ભાત પકાવો છો ત્યારે પણ આ જીવાણુ તેમાં હોય છે. પરંતુ, તે શરીર માટે હાનિકારક નથી. પરંતુ, ચોખા રાંધ્યા પછી, જ્યારે તે સામાન્ય તાપમાને લાંબા સમય સુધી રાખવામાં આવે છે, ત્યારે આ જીવાણુ બેક્ટેરિયામાં રૂપાંતરિત થાય છે. આ પછી, જ્યારે આ બેક્ટેરિયા તમારા શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે તમને ફૂડ પોઇઝનિંગથઇ શકે છે. તેથી, ભાતને લાંબા સમય સુધી સામાન્ય તાપમાને રાખવાનો પ્રયાસ ના કરો અને જો ભાત લાંબા સમયથી પડેલા છે તો તેને ખાશો નહીં. ક્યાં સુધી ભાત ખાવા જોઈએ ?

ભાત બની ગયા બાદ એક કે બે કલાકની અંદર જ ભાત ખાવા જોઈએ. જો તમે તૈયાર થઇ ગયા બાદ પણ ભાત ખાતા નથી તો તો તમારે તેને સારી રીતે રાખવા જોઈએ. સાથે જ જ ભાતને સામાન્ય તાપમાને રાખવાનું ટાળો અને તેને ફ્રિજમાં રાખો. તેને ફ્રિજમાં રાખ્યા પછી, તમે તેનો ઉપયોગ થોડા કલાકો પછી પણ કરી શકો છો.

પરંતુ એવું નથી કે તમે એક દિવસ પછી ભાત ખાઈ ખાઈ શકો છો. ભાત ફક્ત થોડા કલાકો માટે ફ્રિજમાં રહે છે, ત્યારબાદ તેને ખાવાથી નુકસાનકારક સાબિત થઈ શકે છે. સાથે જ, જો તમારે ભાત ગરમ કર્યા પછી ખાવા માંગતા હોય, તો પછી માત્ર એક જ વાર કરો અને ફરીથી અને ફરીથી ગરમ કર્યા પછી ભાત ન ખાશો.

નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે. 

આ પણ વાંચો : જાણો, તમારા લોહીમાં Oxygen વધારવા માટે શું ખાવું, પ્રોટીન શરીરના અવયવોમાં ઓક્સિજન પૂરું પાડે છે?

આ પણ વાંચો : લવિંગ અને અજમાની પોટલી સુંઘતા જ વધે છે Oxygen Level, જાણો શું છે સત્ય ?

Follow Us
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
g clip-path="url(#clip0_868_265)">