AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છોટા ઉદેપુરમાં શાળાનું મકાન જર્જરીત થતા બાળકો મંદિરમાં ભણવા લાચાર- Video

શાળાને કહેવાય છે ‘વિદ્યા મંદિર’... પરંતુ છોટાઉદેપુરના કોલીયારી ગામમાં આ જ વિદ્યા મંદિરની જર્જરિત દીવાલો વચ્ચે બાળકોનો જીવ જોખમમાં મુકાયો છે, શાળાનું મકાન જર્જરીત થતા બાળકોને રામકબીર મંદિરના પ્રાર્થના ખંડમાં બેસાડી ભણાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે મંદિરમાં જ્યારે પણ સત્સંગ સહિતના કાર્યક્રમો હોય ત્યારે બાળકોને રજા રાખવી પડે છે અને બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2026 | 8:15 PM
Share

શાળાને કહેવાય છે ‘વિદ્યા મંદિર’ પરંતુ છોટાઉદેપુરના કોલીયારી ગામમાં આ જ વિદ્યા મંદિરની જર્જરિત દીવાલો વચ્ચે બાળકોનો જીવ જોખમમાં મુકાયો છે.

છોટાઉદેપુરના કોલીયારી ગામે વર્ષો જૂની શાળાનું બાંધકામ હવે એટલું જર્જરિત બની ગયું છે કે છતમાંથી પાણી ટપકે છે અને દિવાલોમાં પડેલી તિરાડો બાળકોની સુરક્ષા સામે સવાલ ઉભો કરે છે. પોતાના બાળકોને જોખમમાં મોકલવાને બદલે વાલીઓએ રામકબીર મંદિરના પાકા મકાનમાં અભ્યાસ કરાવવાનો નિર્ણય લીધો. મંદિરમાં અભ્યાસ શરૂ કરાવ્યો હોવાથી બાળકોને વિવિધ ધાર્મિક પ્રસંગોપાત રજા પાડવાનો વારો આવતો હોય છે. જેની સીધી અસર તેમના અભ્યાસ પર થઈ રહી છે.

મહત્વનું છે કે કોલીયારી ગામે દર પૂનમના દિવસે રામકબીર મંદિરમાં ધાર્મિક પ્રસંગ અને ભજન કિર્તનનો કાર્યક્રમ યોજાતો હોય છે. જેના લીધે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડે છે.. તો આ તરફ વાલીઓની માંગ પણ મોટી નથી. બાળકોને માત્ર સુરક્ષિત છત, મજબૂત દિવાલો અને યોગ્ય વર્ગખંડ જોઈએ છે. મંદિર હાલ માટેનો આશરો છે, પરંતુ બાળકોનું ભવિષ્ય કાયમી વ્યવસ્થાની રાહ જોઈ રહ્યું છે.

વાલીઓની ચિંતા વચ્ચે તંત્રનું કહેવું છે કે જર્જરિત શાળાના કારણે બાળકોને હાલ મંદિરના પાકા મકાનમાં બેસાડવામાં આવ્યા છે. નવી શાળાના નિર્માણ માટેની દરખાસ્ત મંજૂરી માટે મોકલવામાં આવી છે.

Input Credit- Maqbul Mansuri- Chhota Udepur

યાત્રાધામ બહુચરાજીમાં મંદિરની લગોલગ આવેલા બાંધલિયા તળાવની જુઓ દુર્દશા, નવિનીકરણ માટે ત્રણ-ત્રણ ગ્રાંટ ફાળવાઈ છતા ગંદકીના ગંજ

Follow Us
છોટા ઉદેપુરમાં શાળાનું મકાન જર્જરીત થતા બાળકો મંદિરમાં ભણવા લાચાર
છોટા ઉદેપુરમાં શાળાનું મકાન જર્જરીત થતા બાળકો મંદિરમાં ભણવા લાચાર
ખેડૂતોને કૃષિ સાધનો ખરીદવા વધુ 15 દિવસની મુદત
ખેડૂતોને કૃષિ સાધનો ખરીદવા વધુ 15 દિવસની મુદત
વૈશ્વિક હીરાની માંગથી સુરત ઉદ્યોગને મોટો વેગ
વૈશ્વિક હીરાની માંગથી સુરત ઉદ્યોગને મોટો વેગ
દુનિયાની સૌથી 'મોટી' સોનાની ઈંટ, 521 કિલો વજન સાથે બનાવ્યો 'રેકોર્ડ'
દુનિયાની સૌથી 'મોટી' સોનાની ઈંટ, 521 કિલો વજન સાથે બનાવ્યો 'રેકોર્ડ'
અંબાજી મંદિરમાં માઈભક્તે કર્યું લાખોના સોનાનું દાન, જુઓ Video
અંબાજી મંદિરમાં માઈભક્તે કર્યું લાખોના સોનાનું દાન, જુઓ Video
આજનું રાશિફળ : વેપાર, નોકરી અને પૈસાની બાબતમાં કોનું ભાગ્ય ચમકશે?
આજનું રાશિફળ : વેપાર, નોકરી અને પૈસાની બાબતમાં કોનું ભાગ્ય ચમકશે?
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા
મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા
ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક
ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">