Rajkot Video : ક્ષત્રિય આંદોલનમાં ભાજપના નેતાની સંડોવણી ચર્ચા મામલે ભાજપના ઉપાધ્યક્ષ બોલ્યા ‘ક્ષત્રિય આંદોલનમાં ભાજપના નેતાની સંડોવણીની વાતો માત્ર અફવા’
ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ અંગે સૌથી મોટો ખુલાસો કર્યો છે. ભરત બોઘરાએ નિવેદન આપ્યુ કે રાજકોટ ભાજપના કોઇ નેતાનો ભાજપ દ્વારા ખુલાસો માગવામાં આવ્યો નથી. રાજકોટ શહેર કે જિલ્લા ભાજપમાં કોઇ પણ વિખવાદ ન હોવાની માહિતી અમારા હાઇકમાન્ડને તમામ કાર્યકરો પર વિશ્વાસ હોવાનું જણાવ્યુ છે.
રાજકોટમાં ક્ષત્રિય આંદોલનમાં ભાજપના ક્ષત્રિય નેતાની ભૂમિકાની હોવાની ચર્ચા થઈ રહી છે.ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ અંગે સૌથી મોટો ખુલાસો કર્યો છે. ભરત બોઘરાએ નિવેદન આપ્યુ કે રાજકોટ ભાજપના કોઇ નેતાનો ભાજપ દ્વારા ખુલાસો માગવામાં આવ્યો નથી. રાજકોટ શહેર કે જિલ્લા ભાજપમાં કોઇ પણ વિખવાદ ન હોવાની માહિતી અમારા હાઇકમાન્ડને તમામ કાર્યકરો પર વિશ્વાસ હોવાનું જણાવ્યુ છે.
ભાજપ નેતાની સંડોવણીની વાતો માત્ર એક અફવા હોવાનું પણ ભરત બોધરાએ જણાવ્યુ છે. આ ઉપરાંત ભરત બોઘરાએ જણાવ્યુ કે, પદ્મીનીબાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે,અમે સ્વીકારી લીધું છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષે વધુ ખુલાસો કરતા જણાવ્યુ કે, હું 20 વર્ષથી ભાજપના પાયાના કાર્યકર તરીકે કામ કરૂ છું અને જો મારો કઇ ખોટા વ્યક્તિ સાથે સંબંધ સામે આવશે તો હું જાહેર જીવન છોડી દઇશ. આ ઉપરાંત જણાવ્યુ કે, અમારી પાર્ટીના હિતશત્રુઓ અમારા વિરૂદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે. તેમજ “જે સમાચારો વહેતા થયા છે તે ખોટા છે તેમાં કોઇ તથ્ય નથી.