Panchmahal : NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ શરુ કરશે તપાસનો ધમધમાટ, જુઓ Video

પંચમહાલના ચકચારી NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના ગોધરા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વડોદરાથી ઝડપાયેલા આરોપી પરશુરામ રોયને ગોધરાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તપાસના ગ્રાઉન્ડ રજૂ કરીને પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2024 | 11:34 AM

પંચમહાલના ચકચારી NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના ગોધરા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વડોદરાથી ઝડપાયેલા આરોપી પરશુરામ રોયને ગોધરાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તપાસના ગ્રાઉન્ડ રજૂ કરીને પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી.

સમગ્ર મામલે તપાસનો ધમધમાટ

ગોધરા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરતા હવે, આ કેસમાં પોલીસની તપાસનો ધમધમાટ શરૂ થશે. સૂત્રોની માનીએ તો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી પરશુરામના સંબંધી અગાઉ પેપરલીક કાંડમાં સંડોવાયેલા હતા. તપાસમાં આ મોટો ખુલાસો થતાં હવે સમગ્ર કૌભાંડ અને પૂર્વ આયોજીત ષડયંત્રનો ભાગ હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

ચોરીકાંડનો મુખ્ય સૂત્રધાર તુષાર ભટ્ટ ન હોવાનો દાવો

તો ચોરીકાંડનો મુખ્ય સૂત્રધાર તુષાર ભટ્ટ છે, પરશુરામ રોય નહીં. આ દાવો પરશુરામ રોયના વકીલે કર્યો છે. વકીલ હિતેશ ગુપ્તાનો દાવો છે કે તુષાર ભટ્ટે ખોટી રીતે પરશુરામ પાસેથી યાદી મેળવી અને ષડયંત્રને અંજામ આપ્યો. દાવો એ પણ છે કે પરશુરામ રોયે એકપણ ઉમેદવાર પાસેથી રૂપિયા નથી લીધા, તેઓએ 10 લાખ રૂપિયા પડાવતો હોવાની વાતને પણ રદીયો આપ્યો. તો પરશુરામના સંબંધીની સંડોવણી મુદ્દે પણ તેઓએ સ્પષ્ટતા કરી.

એક તરફ સરકારી વકીલનો દાવો છે કે આરીફ વોરા મહોરૂ છે, તો બીજી તરફ પરશુરામ રોય નિર્દોષ હોવાનો વકીલ બચાવ કરી રહ્યા છે, ત્યારે હવે સમગ્ર મામલે રિમાન્ડ દરમિયાન પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. જોકે અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય કે તુષાર ભટ્ટ ક્યાં છે. ક્યારે પકડાશે ચોરીકાંડનો માસ્ટર માઇન્ડ..?

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">