Panchmahal : NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ શરુ કરશે તપાસનો ધમધમાટ, જુઓ Video

પંચમહાલના ચકચારી NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના ગોધરા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વડોદરાથી ઝડપાયેલા આરોપી પરશુરામ રોયને ગોધરાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તપાસના ગ્રાઉન્ડ રજૂ કરીને પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2024 | 11:34 AM

પંચમહાલના ચકચારી NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના ગોધરા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વડોદરાથી ઝડપાયેલા આરોપી પરશુરામ રોયને ગોધરાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તપાસના ગ્રાઉન્ડ રજૂ કરીને પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી.

સમગ્ર મામલે તપાસનો ધમધમાટ

ગોધરા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરતા હવે, આ કેસમાં પોલીસની તપાસનો ધમધમાટ શરૂ થશે. સૂત્રોની માનીએ તો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી પરશુરામના સંબંધી અગાઉ પેપરલીક કાંડમાં સંડોવાયેલા હતા. તપાસમાં આ મોટો ખુલાસો થતાં હવે સમગ્ર કૌભાંડ અને પૂર્વ આયોજીત ષડયંત્રનો ભાગ હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

ચોરીકાંડનો મુખ્ય સૂત્રધાર તુષાર ભટ્ટ ન હોવાનો દાવો

તો ચોરીકાંડનો મુખ્ય સૂત્રધાર તુષાર ભટ્ટ છે, પરશુરામ રોય નહીં. આ દાવો પરશુરામ રોયના વકીલે કર્યો છે. વકીલ હિતેશ ગુપ્તાનો દાવો છે કે તુષાર ભટ્ટે ખોટી રીતે પરશુરામ પાસેથી યાદી મેળવી અને ષડયંત્રને અંજામ આપ્યો. દાવો એ પણ છે કે પરશુરામ રોયે એકપણ ઉમેદવાર પાસેથી રૂપિયા નથી લીધા, તેઓએ 10 લાખ રૂપિયા પડાવતો હોવાની વાતને પણ રદીયો આપ્યો. તો પરશુરામના સંબંધીની સંડોવણી મુદ્દે પણ તેઓએ સ્પષ્ટતા કરી.

એક તરફ સરકારી વકીલનો દાવો છે કે આરીફ વોરા મહોરૂ છે, તો બીજી તરફ પરશુરામ રોય નિર્દોષ હોવાનો વકીલ બચાવ કરી રહ્યા છે, ત્યારે હવે સમગ્ર મામલે રિમાન્ડ દરમિયાન પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. જોકે અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય કે તુષાર ભટ્ટ ક્યાં છે. ક્યારે પકડાશે ચોરીકાંડનો માસ્ટર માઇન્ડ..?

Follow Us:
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
g clip-path="url(#clip0_868_265)">