BHAVNAGAR : દાદા સાહેબ દેરાસર ખાતે કોરોના નિયમોનું ઉલ્લંઘન, 600 ભક્તોની ભીડ ઉમટી
દાદાસાહેબ દેરાસર ખાતે કોરોના નિયમોનું ઉલ્લંઘન થયું. ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે 600થી વધુ લોકોની ભીડ એકઠી થઈ હતી.
BHAVNAGAR : શહેરમાં દાદાસાહેબ દેરાસર ખાતે કોરોના નિયમોનું ઉલ્લંઘન થયું. ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે 600થી વધુ લોકોની ભીડ એકઠી થઈ હતી. મોટાભાગના શ્રદ્ધાળુઓએ માસ્ક પહેર્યા ન હતા. આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયુ ન હતું. વિજય રત્નચંદ્રસૂરીશરજી મહારાજ સાહેબ અને તત્ત્વપ્રવચનપ્રજ્ઞ આચાર્ય ભગવંતના સ્વાગતમાં શ્રદ્ધાળુઓના ટોળા એકઠા થયા હતા.
નોંધનીય છેકે કોરોનાની બીજી લહેર શાંત પડતા જ લોકોની ભીડ થઇ રહી છે. ત્યારે લોકોની આ બેદરકારી ત્રીજી લહેર માટે ઘાતક પુરવાર થાય તો નવાઇ નહીં. ત્યારે લોકોએ ધ્યાન રાખવું રહ્યું કે કોરોનાકાળ પુરો થયો નથી.
Latest Videos
Latest News