ખેડૂતોના ઉભા પાક પર, વિકાસનું જેસીબી ફર્યું! ધોલેરામાં એક્સપ્રેસ હાઈવેની કામગરીનો વિરોધ

Ahmedabad: ધોલેરામાં એક્સપ્રેસ હાઈવેનું કામ શરુ કરવામાં આવ્યું છે. તો 22 ગામના ખેડૂતો આ કામગીરીથી નારાજ છે. ખેડૂતોના કહેવા પ્રમાણે કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 11:46 AM

અમદાવાદના (Ahmedabad) ધોલેરા (Dholera) તાલુકાના સરસલાપરા ગામથી એક્સપ્રેસ હાઈવે (Express Highway) બનાવવાની કોન્ટ્રાકટર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના પગલે હોબાળો મચી ગયો છે. પોલીસ કાફલાની સાથે ખેડૂતોના ઉભા પાક પર હિટાચી અને જેસીબી જેવા વાહનો ફેરવી દેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

મહિલાઓ અને ખેડૂતોએ વિરોધ કર્યો તો પોલીસે 15 જેટલા લોકોની અટકાયત કરી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે. ખેડૂતોના કહેવા પ્રમાણે કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી. સાથે જ જમીનના બદલામાં વળતર ચૂંકવવા અંગે પણ કોઈ જાણ કરવામાં આવી નથી. નવાઈની વાત તો એ છે કે, અહીના 22 ગામના ખેડૂતો આ કામગીરીથી નારાજ છે.

ખેડૂતોનું કહેવું છે કે, સરકાર જ્યાં એક્સપ્રેસ હાઈવે બનાવવાનું વિચારી રહી છે તેનાથી આશરે 200 મીટર દૂર જ હાઈવે આવેલો છે. તે હાઈવે ને મોટો કરીને પણ હાઈવે બનાવી શકાય છે. પરંતુ એવું કરવામાં નથી આવી રહ્યું, જેના પગલે ખેડૂતોની 700 વીઘા જમીન કપાતમાં જઈ રહી છે.

 

આ પણ વાંચો: અઢી વર્ષે ન્યાય: સુરતમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમ આજીવન જેલના સળીયા પાછળ

આ પણ વાંચો: Gujarat: ઑમિક્રૉનનું ટેન્શન, સરકાર શું લેશે એક્શન? 8 મહાનગરમાં રાત્રિ કરફ્યુ હટશે કે મુદત વધશે?

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">