રાજ્યની દરેક શાળાઓમાં માતા સરસ્વતીની મૂર્તિ મુકવા રાજ્ય શાળા સંચાલક મંડળની રજૂઆત, પીએમ, સીએમ અને શિક્ષણમંત્રીને લખ્યો પત્ર

Gandhinagar: રાજ્યભરની શાળાઓમાં માતા સરસ્વતીની મૂર્તિ મુકવાની રાજ્ય શાળા સંચાલક મંડળે માગ કરી છે. તેમણે પીએમ મોદી, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2022 | 6:41 PM

રાજ્યભરની સ્કૂલોમાં મા સરસ્વતીની મૂર્તિ મૂકવાની માગ રાજ્ય શાળા સંચાલક મંડળે કરી છે. મંડળે વડાપ્રધાન, મુખ્યમંત્રી, અને શિક્ષણમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જેમાં માતા સરસ્વતીની મૂર્તિને લઈને કેટલાક તર્ક રજૂ કરવામાં આવ્યા છે. રાજ્ય શાળા સંચાલક મંડળનું માનવુ છે કે સ્કૂલોમાં શૈક્ષણિક વાતાવરણ ઉભુ કરવામાં માતા સરસ્વતીની મૂર્તિ મહત્વનો ભાગ ભજવે છે. સાથે જ પુરાણોમાં દેવી-દેવતાઓમાં માતા સરસ્વતીને અનોખુ સ્થાન આપવામાં આવ્યુ છે. રાજ્ય શાળા સંચાલક મંડળે એવો તર્ક આપ્યો છે કે જો સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વિદ્યાની દેવી માતા સરસ્વતીના દર્શન કરીને વર્ગખંડમાં અભ્યાસ કરવા જાય તો તેમના વિચારોનું શુદ્ધિકરણ થાય છે. તેથી જ સમગ્ર રાજ્યની શાળાઓમાં એક સરખી સાઈઝનું માતા સરસ્વતીની મૂર્તિનું સ્થાપન કરવુ જોઈએ. જો કે શાળા સંચાલક મંડળે પોતાની રજૂઆતમાં લઘુમતી શાળાઓને બાકાત રાખવાની પણ વાત કરી છે.

હિંદુ પુરાણોમાં દેવી-દેવતાઓમાં અનોખું સ્થાન ધરાવે છે મા સરસ્વતી

શાળા સંચાલક મંડળે તમામ શાળાઓના દરવાજે અઢીથી ત્રણ ફુટની મૂર્તિ મુકવાની માગ કરી છે. શાળા સંચાલક મંડળનું કહેવુ છે કે બાળક જ્યારે શાળામાં પ્રવેશ કરશે, ત્યારે એક નવી ઊર્જા સાથે પ્રવેશષે. તેમણે જણાવ્યુ છે કે સરસ્વતી માતાની મૂર્તિ વાતાવરણમાં બહુ મોટુ યોગદાન આપે છે. વિદ્યાર્થીઓ આ મૂર્તિના દર્શન કરી વર્ગમાં જાય તો વિચારોમાં સકારાત્મક્તા આવે છે. વર્ષ 1972ના નિયમ મુજબ કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ ના આપી શકાય. આ બાબતે શાળા સંચાલક મંડળે સ્પષ્ટતા કરી છે કે મૂર્તિ મુકવી અને ધાર્મિક શિક્ષણ આપવુ બંને અલગ બાબતો છે. આથી તેમા કોઈપણ પ્રકારના નિયમોનો ભંગ થતો નથી.

ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ- અમદાવાદ

Follow Us:
આ શહેરમાં નથી વાગતા 12, ઘડિયાળ 11 પછી બતાવે છે સીધો 1 વાગ્યાનો સમય
આ શહેરમાં નથી વાગતા 12, ઘડિયાળ 11 પછી બતાવે છે સીધો 1 વાગ્યાનો સમય
ગોધરા પંથકની શાળામાં દાઝેલી 13 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત
ગોધરા પંથકની શાળામાં દાઝેલી 13 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત
ખંભાળિયા તાલુકામાં વીજ ધાંધિયાને કારણે ખેડૂતો હેરાન
ખંભાળિયા તાલુકામાં વીજ ધાંધિયાને કારણે ખેડૂતો હેરાન
રાજકોટમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, 7 લોકોએ પીધી ઝેરી દવા
રાજકોટમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, 7 લોકોએ પીધી ઝેરી દવા
વડોદરા: શિનોર સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ
વડોદરા: શિનોર સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ
ડુમસ બીચ ખાત આંતરરાષ્ટ્રીય ક્લિન દિવસ અંતર્ગત યોજાઈ સ્વચ્છતા ડ્રાઈવ
ડુમસ બીચ ખાત આંતરરાષ્ટ્રીય ક્લિન દિવસ અંતર્ગત યોજાઈ સ્વચ્છતા ડ્રાઈવ
પરીક્ષામાં ગેરરીતિ રોકવા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.એ લીધો આ નિર્ણય
પરીક્ષામાં ગેરરીતિ રોકવા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.એ લીધો આ નિર્ણય
અંબાલાલની વરસાદને લઈને મોટી આગાહી, નવરાત્રીમાં વરસાદ બનશે વિલન - Video
અંબાલાલની વરસાદને લઈને મોટી આગાહી, નવરાત્રીમાં વરસાદ બનશે વિલન - Video
સાયબર માફીયાઓ બન્યા બેફામ, વકીલ મંડળનું વોટ્સઅપ ગ્રુપ કર્યું હેક
સાયબર માફીયાઓ બન્યા બેફામ, વકીલ મંડળનું વોટ્સઅપ ગ્રુપ કર્યું હેક
જખૌ નજીક બિનવારસી હાલતમાં 10 ડ્રગ્સના પેકેટ મળ્યા
જખૌ નજીક બિનવારસી હાલતમાં 10 ડ્રગ્સના પેકેટ મળ્યા
g clip-path="url(#clip0_868_265)">