તમારા લેપટોપ ચાર્જર વાયર પર નાનકડો કાળો ગઠ્ઠો કેમ હોય છે ? 90% લોકોને નથી હોતી ખબર, જાણો મોટુ વૈજ્ઞાનિક રહસ્ય
શું તમે ક્યારેય તમારા લેપટોપ ચાર્જર કેબલ પર આવેલા કાળા 'ગઠ્ઠા' પર ધ્યાન આપ્યું છે ? આ કાળો ગઠ્ઠો કેમ હોય છે તે અંગે ક્યારેય વિચાર્યું છે ખરું ? આ કાળો ગઠ્ઠો ચાર્જર વાયરની ફક્ત ડિઝાઇન નથી, તે તમારા લેપટોપને નુકસાનથી બચાવવા માટે રચાયેલ ટેકનોલોજીનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

જો તમે લેપટોપનો ઉપયોગ હોવ તો તમે તેના ચાર્જર વાયર ઉપર અચૂક એક નાનો કાળો ગઠ્ઠો જોયો હશે. આ ગઠ્ઠો નળાકાર સ્વરૂપમાં જોવા મળે છે. લોકો ઘણીવાર કાળો ગઠ્ઠો ચાર્જર વાયર ઉપર જ કેમ હોય છે તે જાણવાને બદલે તેને અવગણે છે. મોટાભાગના લેપટોપ યુઝર્સ એવુ ધારતા હશે કે, આ કાળો ગઠ્ઠો એ ચાર્જ વાયર ઉપરની એક પ્રકારે ડિઝાઇન હશે કે પછી લેપટોપ ચાર્જર વાયરમાં સુવિધા અથવા સરળ કેબલ ટાઇ સિવાય બીજું કશું નહીં હોય.પરંતુ શું તમે જાણો છો કે, આ કાળા રંગના પ્લાસ્ટિકનો નાનકડો ‘ગઠ્ઠો’ તમારા મોંઘાદાટ લેપટોપ માટે એક રક્ષક તરીકે કામ કરે છે ? તેના વિના, તમારું લેપટોપ ખરાબ જ થાય એવુ નથી, પરંતુ તે તમારા ઘરના અન્ય વિદ્યુત ઉપકરણોમાં પણ ખામી સર્જી શકે છે. ચાલો આ રહસ્યમય ગઠ્ઠા પાછળ રહેલા વિજ્ઞાનમાં ઊંડા ઉતરીએ.
તે શું છે, અને તેને શું કહેવામાં આવે છે?
એન્જિનિયરિંગ પરિભાષામાં, આ ઘટકને ‘ફેરાઇટ બીડ’ અથવા ‘ફેરાઇટ ચોક’ તરીકે ઓળખવામાં આવે છે. ચાર્જર વાયર ઉપરનો આ ગઠ્ઠો ફક્ત પ્લાસ્ટિકનો એક સામાન્ય ટુકડો નથી. પરંતુ ગઠ્ઠાની અંદર, તે ‘ફેરાઇટ’ નામનો ચુંબકીય પદાર્થ ધરાવે છે, જે આયર્ન ઓક્સાઇડ અને અન્ય વિવિધ ધાતુઓના મિશ્રણથી બનેલો છે. તેનું પ્રાથમિક કાર્ય ચાર્જર દ્વારા વહેતા વિદ્યુત પ્રવાહને તમારા લેપટોપ સુધી પહોંચે તે પહેલાં ‘ફિલ્ટર’ કરવાનું છે.
તે શા માટે જરૂરી છે?
જ્યારે વીજળી ચાર્જર કેબલમાંથી વહે છે, ત્યારે કેબલ અસરકારક રીતે રેડિયો એન્ટેનાની જેમ કાર્ય કરવાનું શરૂ કરે છે. આ પ્રક્રિયા ‘ઇલેક્ટ્રોમેગ્નેટિક હસ્તક્ષેપ’ (EMI) ઉત્પન્ન કરે છે, જેને સામાન્ય રીતે ઇલેક્ટ્રોનિક અવાજ તરીકે ઓળખવામાં આવે છે.
- ચોક્કસ સંકેતો: આ ગાંઠ તે અનિચ્છનીય અવાજ અથવા તે ઉચ્ચ-આવર્તન સંકેતોને શોષી લે છે.
- અન્ય ઈલે. ઉપકરણોનું રક્ષણ: આ ગઠ્ઠા વિના, તમારા ચાર્જર દ્વારા ઉત્સર્જિત રેડિયો તરંગો નજીકના અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો, જેમ કે તમારા ટીવી, રેડિયો અથવા Wi-Fi રાઉટરના સિગ્નલોમાં દખલ કરી શકે છે.
- મધરબોર્ડ સુરક્ષા: સૌથી અગત્યનું, તે વોલ્ટેજ વધઘટને નિયંત્રિત કરે છે, જેનાથી લેપટોપના સંવેદનશીલ મધરબોર્ડને બળી જવાથી અટકાવે છે.
જો તેને દૂર કરવામાં આવે તો શું થાય છે?
જો તમે તમારા ચાર્જરમાંથી આ ફેરાઇટ બીડ દૂર કરો છો, તો તમારું લેપટોપ તરત જ નિષ્ફળ નથી જતું પરંતુ જોકે, લાંબા ગાળે, તે લેપટોપના આંતરિક પાર્ટસ-ભાગને નુકસાન પહોંચાડશે. મોનિટર સ્ક્રીન લબક ઝબક થઈ શકે છે, અથવા કીબોર્ડ અને માઉસની કાર્યક્ષમતામાં અવરોધ ઉભા થઈ શકે છે. ટૂંકમાં આ કાળા ગઠ્ઠા વિના લેપટોપ સરળતાથી ચલાવવું ખૂબ મુશ્કેલ થઈ શકે છે.