AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: “સનાતનનો જડમૂળથી નાશ થવો જોઈએ”, ઉદયનિધિ સ્ટાલિને CM થલપતિ વિજય સામે વિધાનસભામાં આપ્યુ વિવાદી નિવેદન

તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષ નેતા ઉદયનિધિ સ્ટાલિે સનાતન ધર્મ પર ફરી એકવાર વિવાદી નિવેદન આપ્યુ છે. આ નિવેદન તેમણે તમિલનાડુના નવા મુખ્યમંત્રી થલપતિ વિજયની સામે આપ્યુ છે.

Breaking News: સનાતનનો જડમૂળથી નાશ થવો જોઈએ, ઉદયનિધિ સ્ટાલિને CM થલપતિ વિજય સામે વિધાનસભામાં આપ્યુ વિવાદી નિવેદન
| Updated on: May 12, 2026 | 1:32 PM
Share

તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષ નેતા ઉદયનિધિ સ્ટાલિને ફરી એકવાર સનાતન ધર્મ વિશે ઝેર ઓક્યુ છે.વિધાનસભામાં તેના વિવાદી નિવેદનને દોહરાવતા ઉદયનિધિ સ્ટાલિને કહ્યુ કે સનાતનનો જડમૂળથી નાશ થવો જોઈએ. ઉદયનિધિએ જે સમયે આ નિવેદન આપ્યુ એ સમયે મુખ્યમંત્રી વિજય વિધાનસભામાં તેમની સામે જ બેઠા હતા આ અગાઉ વર્ષ 2023માં પણ ઉદયનિધિ સ્ટાલિને આવુ નિવેદન આપ્યુ હતુ. એ સમયે પણ આ નિવેદન પર ખૂબ હંગામો થયો હતો. ભાજપે દેશભરમાં ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ પ્રદર્શન કર્યુ હતુ. હવે ફરી એકવાર આ નિવેદનને દોહરાવતા રાજકીય માહોલ ગરમાઈ ગયો છે અને સત્તા પક્ષ-વિપક્ષ બંને વચ્ચે ટકરાવની સંભાવના વધી ગઈ છે.

એક યુઝરે X પર શેર કર્યો વીડિયો

X પર રાહુલ શિવશંકર નામના યુઝરે આ વીડિયોને ટ્વીટ કરતા લખ્યુ કે CM વિજય જોી રહ્યા છે જ્યારે વિધાનસભામાં ઉદયનિધિ સ્ટાલિન કહી રહ્યો છે, સનાતનને ખતમ કરી દેવો જોઈએ. જો કે હવે એ જોવુ રહ્યુ કે તમિલનાડુના નવા CM વિજય કોઈપણ સમયે વિપક્ષ દ્વારા સનાતનની ભાવનાને ઠેસ પહોંચાડવા માટે ટીકા કરે છે કે નહીં. આપને જણાવી દઈએ કે તમિલનાડુના પૂર્વ CM એમ કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ એ સપ્ટેમ્બપ 2023 માં એક સંમેલનમાં કહ્યુ હતુ કે સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે અને તેનો ખાત્મો કરી દેવો જોઈએ. આ નિવેદનની પણ વિવિધ વર્ગના લોકોએ આકરી ટીકા કરી હતી.

સનાતન ધર્મને ગણાવ્યો મચ્છર, ડેંગૂ, મેલેરિયા અને કોરોના

ઉદયનિધિ સ્ટાલિને તમિલનાડુ પ્રોગ્રેસિવ રાઈટર્સના એક કાર્યક્રમમાં સનાતન ધર્મનો નાશ કરવાની વાત કરતા કહ્યુ હતુ કે તે સામાજિક ન્યાયની વિરુદ્ધ છે. તેમણે એમ પણ કહ્યુ હતુ કે સનાતન ધર્મને મચ્છર, ડેંગુ, મેલેરિયા કે કોરોનાની જેમ ખતમ કરી દેવો પડશે.

પૂર્વ સરકારમાં તમિલનાડુના ખેલ અને યુવા બાબતોના મંત્રી રહેલા ઉદયનિધિ સ્ટાલિને કહ્યુ હતુ કે સનાતન ધર્મનો વિરોધ કરવાને બદલે તેને ખતમ જ કરવો પડશે. તેમણે તેના આ વાણીવિલાસ વિશે માફી માગવાનો ઈનકાર કરતા કહ્યુ હતુ કે હું તેને સતત કહેતો રહીશ

સોમનાથનું જમીનથી અધ્ધર રહી હવામાં તરતું શિવલિંગ- ચમત્કાર કે પ્રાચીન ભારતનું અદભૂત વિજ્ઞાન? ગઝનવી પણ જોઈને રહી ગયો હતો દંગ !

Follow Us
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
g clip-path="url(#clip0_868_265)">