AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું એરોપ્લેન મોડ પર જલ્દી ચાર્જ થઈ જાય છે સ્માર્ટફોનની બેટરી? જાણો પૂરી હકીકત આ અહેવાલમાં

Technology news : આજના જમાનામાં લોકો પોતાના કામને કારણે આખો દિવસ પોતાના સ્માર્ટફોનમાં વ્યસ્ત હોય છે. અને તેને કારણે સ્માર્ટફોનની બેટરી ઓછી થઈ જાય છે. તેવામાં લોકોને ઝડપથી ચાર્જ થઈ શકે તેવા ચાર્જરની જરુર પડે છે. એવુ માનવામાં આવે છે કે જો તમે તમારા સ્માર્ટફોનને ઝડપથી ચાર્જ કરવા માંગો છો, તો તેને એરપ્લેન મોડ પર કરી શકો છો. પણ શું ખરેખર આવું થાય છે? ચાલો જાણીએ તેની હકીકત..

શું એરોપ્લેન મોડ પર જલ્દી ચાર્જ થઈ જાય છે સ્માર્ટફોનની બેટરી? જાણો પૂરી હકીકત આ અહેવાલમાં
Charging portImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2022 | 10:34 PM
Share

Technology news : આજના જમાનામાં લોકો પોતાના કામને કારણે આખો દિવસ પોતાના સ્માર્ટફોનમાં (Smartphone) વ્યસ્ત હોય છે. આજે સ્માર્ટફોન આપણા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. દિવસમાં લગભગ 24 કલાકમાંથી આપણે સતત 4-5 કલાક આપણા સ્માર્ટફોન પર કાઢીએ છીએ. એક ડેટા અનુસાર ભારતમાં લોકો દિવસમાં લગભગ 4 કલાક પોતાના સ્માર્ટફોન પર કાઢે છે. જો તમે દરરોજ સારા સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તમારે તેની બેટરી ચાર્જિંગનું (bettery charging) પણ ખાસ ધ્યાન રાખવું પડશે. એવું માનવામાં આવે છે કે જો તમે તમારા સ્માર્ટફોનને ઝડપથી ચાર્જ કરવા માંગો છો તો તમે તેને એરપ્લેન મોડ પર કરી શકો છો પણ શું ખરેખર આવું થાય છે? ચાલો જાણીએ.

જો તમે એરોપ્લેન મોડ પર સ્માર્ટફોન ચાર્જ કરો છો તો તમારા મોબાઈલને જીપીએસ ફંક્શનની જરૂર નથી. મોબાઈલને નેટવર્ક માટે સતત સેલ ફોન ટાવરની જરૂર પડે છે. મોબાઈલ તેના માટે બેટરીનો ઉપયોગ કરે છે. જો તમે તમારા સ્માર્ટફોનને એરપ્લેન મોડ પર રાખો છો, તો તમારા મોબાઈલની બેટરી ઓછી થતી નથી.

રિપોર્ટમાં કરવામાં આવ્યો આ દાવો

verizon.com ના રિપોર્ટ અનુસાર જ્યારે તમારો સ્માર્ટફોન રેગ્યુલર મોડમાં હોય છે, ત્યારે તે સતત સિગ્નલ સેલ ટાવર અને પિન પોઈન્ટ લોકેશન શોધે છે. GPS દ્વારા સંચાલિત તમારો સ્માર્ટફોન સેટેલાઈટને બદલે સેલફોન નેટવર્ક દ્વારા સ્થાન સાથે સંકલન કરે છે. આ કારણે તમારા સ્માર્ટફોનની બેટરીનો મહત્તમ વપરાશ થાય છે. આ પ્રક્રિયા સતત ચાલે છે અને આ માટે બેટરીનો ઉપયોગ થાય છે. જ્યારે તમે એરોપ્લેન મોડ ચાલુ કરો છો, ત્યારે તમે તે રેડિયો ટ્રાન્સમિશન બંધ કરો છો અને તમારો સ્માર્ટફોન રેગ્યુલર મોડ કરતાં વધુ ઝડપથી ચાર્જ થાય છે. પરંતુ જો તમે આ ડેટાની મદદથી સમજો છો, તો તમારા સમયની આ બચત એટલી નથી જેટલી દાવો કરવામાં આવે છે.

એરોપ્લેન મોડથી કેટલો સમય બચે છે?

થોડા વર્ષો પહેલા CNETના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે તમે એરોપ્લેન મોડ પર સ્માર્ટફોન ચાર્જ કરતી વખતે ટ્રાયલમાં 4 મિનિટ બચી હતી. જ્યારે બીજી ટ્રાયલમાં કુલ 11 મિનિટ બચી હતી. તેના પરથી કહી શકાય છે કે એરોપ્લેન મોડ પર ચાર્જિંગ દરમિયાન થોડો સમય બચે છે.

ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
g clip-path="url(#clip0_868_265)">