ખેલાડીઓએ WFI પ્રમુખ સામે અવાજ ઉઠાવ્યો, IOAને આપી લેખિત ફરિયાદ

ભારતના ઘણા દિગ્ગજ કુસ્તી ખેલાડીઓ હાલમાં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે ધરણા પર બેઠા છે.

ખેલાડીઓએ WFI પ્રમુખ સામે અવાજ ઉઠાવ્યો, IOAને આપી લેખિત ફરિયાદ
IOAને આપી લેખિત ફરિયાદImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2023 | 3:18 PM

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે દેશના કુસ્તી ખેલાડીઓ હટવાનું નામ નથી લઈ રહ્યા. દેશની જાણીતી ખેલાડી વિનેશ ફોગટના નેતૃત્વમાં આ ખેલાડીઓએ હવે ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના પ્રમુખ પીટી ઉષાને લેખિત ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં વિનેશ ઉપરાંત બજરંગ પુનિયા, દીપક પુનિયા, સાક્ષી મલિક, રવિ દહિયાના નામ સામેલ છે. બ્રિજ ભૂષણ પર મહિલા ખેલાડીઓના યૌન શોષણનો આરોપ છે અને તેના વિરોધમાં દેશના જાણીતા ખેલાડીઓ છેલ્લા બે દિવસથી નવી દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠા છે.

આ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે, “દેશના તમામ કુસ્તી ખેલાડીઓ વતી અમે WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કરવામાં આવેલી જાતીય સતામણીની ફરિયાદો તમારા ધ્યાન પર લાવવા માંગીએ છીએ. ઘણા યુવા ખેલાડીઓએ અમને આ અંગે ફરિયાદ કરી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પૈસા ન આપવાનો પણ આરોપ

આ પત્રમાં યૌન શોષણના આરોપો સિવાય ખેલાડીઓએ WFI તરફથી કોન્ટ્રાક્ટની રકમ ન મળવાના આરોપો પણ લગાવ્યા છે. તેમણે કહ્યું, “આ સિવાય WFI તરફથી નાણાકીય અનિયમિતતાઓ પણ થઈ છે. મહત્વની વાત એ છે કે WFIમાં અગાઉ કોઈ કોન્ટ્રાક્ટ નહોતો, પરંતુ ભૂષણના આગમન પછી ફેડરેશને BCCIના રસ્તે જઈ ખેલાડીઓને કોન્ટ્રાક્ટ આપ્યા હતા.

વિનેશ આત્મહત્યા કરવા માંગતી હતી

આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, ટોક્યો ઓલિમ્પિક બાદ વિનેશ એટલી પરેશાન હતી કે, તેના મગજમાં આત્મહત્યાનો પ્રયાસ પણ આવ્યો. પત્રમાં લખવામાં આવ્યું હતું કે, “જ્યારે વિનેશ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતવામાં ચૂકી ગઈ, ત્યારે WFI પ્રમુખે તેને માનસિક રીતે એટલી હદે પરેશાન કરી કે તેણે આત્મહત્યા કરવાનું વિચાર્યું.”

પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, “WFI પ્રમુખ દ્વારા રાષ્ટ્રીય શિબિરમાં નિયુક્ત કોચ અને સ્પોર્ટ્સ સાયન્સ સ્ટાફ સક્ષમ ન હતા. તે લોકો માત્ર તેમના સપોર્ટ કરનાર હતા અને તેમણે રાષ્ટ્રીય શિબિરમાં ખરાબ વાતાવરણ સર્જ્યું હતું.

આ માંગણીઓ છે

આ પત્રમાં આ ખેલાડીઓએ પોતાની માંગણીઓ રાખી છે.

પત્રમાં લખ્યું છે કે, અમારી માંગણીઓ

  1. અમે ઈચ્છીએ છીએ કે, ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) તાત્કાલિક અસરથી એક સમિતિની રચના કરે અને જાતીય સતામણીના આરોપોની તપાસ કરે.
  2. WFI પ્રમુખ રાજીનામું આપે
  3. WFI નું વિસર્જન કરવું જોઈએ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">