AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ ઠાકરેના અયોધ્યા પ્રવાસને લઈને બીજેપી સાંસદે સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે આપી ચેતવણી, કહ્યુ- ઉત્તર ભારતીયોની માફી માંગે રાજ

બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે (BJP MP Brijbhushan Sharan Singh) કહ્યું કે મેં યુપીના સીએમ યોગી આદિત્યનાથને (UP CM Yogi Adityanath) પણ વિનંતી કરી છે કે જ્યાં સુધી ઠાકરે માફી ન માંગે ત્યાં સુધી તેમને ન મળે.

રાજ ઠાકરેના અયોધ્યા પ્રવાસને લઈને બીજેપી સાંસદે સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે આપી ચેતવણી, કહ્યુ- ઉત્તર ભારતીયોની માફી માંગે રાજ
BJP MP Brijbhushan Sharan Singh (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2022 | 8:57 PM
Share

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેના અયોધ્યા પ્રવાસ (MNS chief Raj Thackeray Ayodhya Tour) પર ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે (BJP MP Brijbhushan Sharan Singh) કહ્યું કે તેમણે ઉત્તર ભારતીયોની માફી માંગવી જોઈએ, ક્યાંક એવું ન થાય કે, હું તેમને અયોધ્યામાં પ્રવેશ ન કરવા દઉં. બ્રિજ ભૂષણે એમ પણ કહ્યું કે મેં યુપીના સીએમ યોગી આદિત્યનાથને (CM Yogi Adityanath) પણ વિનંતી કરી છે કે જ્યાં સુધી તેઓ માફી ન માગે ત્યાં સુધી તેમની સાથે મુલાકાત ન કરે.

મનસે પ્રમુખે 5 જૂને રામ લલ્લાના દર્શન કરવાની જાહેરાત કરી છે. તેમની જાહેરાત પછી મહારાષ્ટ્રના રાજકારણથી લઈને ઉત્તર પ્રદેશના રાજકીય વાતાવરણમાં પણ ગરમાવો આવી ગયો છે. કૈસરગંજ લોકસભા સીટના બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે દાવો કર્યો છે કે રાજ ઠાકરેને અયોધ્યામાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે રાજ ઠાકરેને હાથ જોડીને ઉત્તર ભારતીયોની માફી માંગ્યા પછી જ અયોધ્યામાં પ્રવેશવા દેવામાં આવશે. રાજ ઠાકરેની અયોધ્યા મુલાકાતને લઈને મુંબઈમાં પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે.

મુંબઈના રસ્તાઓ પર ‘ચલો અયોધ્યા’ના પોસ્ટર લગાવવામાં આવ્યા

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈના રસ્તાઓ પર ‘ચલો અયોધ્યા’ના પોસ્ટર લગાવ્યા છે. જેમાં જૂન મહિનામાં રાજ ઠાકરેની અયોધ્યા યાત્રામાં જોડાવા લોકોને અપીલ કરવામાં આવી હતી. આ પોસ્ટર પર સૌથી ઉપર પર જય શ્રી રામ લખેલું છે. તે પછી ‘ધર્માંધ નાહી, મી ધર્માભીમાની’ લખ્યું છું. ત્યારબાદ ચલો અયોધ્યા લખેલું છે. આ પોસ્ટરો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પાસે લગાવવામાં આવ્યા છે.

અયોધ્યા પ્રવાસ પહેલા રાજે સીએમ યોગીના વખાણ કરવાનું શરૂ કર્યું

અયોધ્યા પ્રવાસ પહેલા રાજ ઠાકરેએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કરવાનું શરૂ કરી દીધું છે. યોગી આદિત્યનાથની પ્રશંસામાં ટ્વિટ કરીને કહ્યું છે કે, ત્યાં યોગી છે, મહારાષ્ટ્રમાં ભોગી છે. આ પર શિવસેનાના સાંસદ સંજય રાઉતે રાજ ઠાકરે પર વળતો પ્રહાર કરતા કહ્યું કે અમારે હિન્દુત્વ ઉધાર લેવું પડતું નથી. હિન્દુત્વ અમારા લોહીમાં છે. અમને કોઈએ હિન્દુત્વ ન શીખવવું જોઈએ. હાલમાં જ માહિતી આપતા શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની અયોધ્યા મુલાકાતની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Follow Us
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
g clip-path="url(#clip0_868_265)">