AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: MS ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડી, ઋતુરાજ ગાયકવાડ નવો કેપ્ટન

IPL 2024 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે નવા કેપ્ટનની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. મોટા સમાચાર એ છે કે એમએસ ધોનીએ અચાનક કેપ્ટનશીપ છોડી દીધી છે અને હવે રુતુરાજ ગાયકવાડને ચેન્નાઈનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ધોનીએ ગત સિઝનમાં ચેન્નાઈને પાંચમી વખત IPL જીતાડ્યું હતું અને હવે તેણે ગાયકવાડને ટીમની કમાન સોંપી છે.

Breaking News: MS ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડી, ઋતુરાજ ગાયકવાડ નવો કેપ્ટન
| Updated on: Mar 21, 2024 | 4:42 PM
Share

IPL 2024 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે નવા કેપ્ટનની જાહેરાત કરી છે. ધોની હવે ચેન્નાઈનો કેપ્ટન નથી, તેની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડને આ જવાબદારી સોંપવામાં આવી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2024 શરૂ થવાના એક દિવસ પહેલા આ જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા હતા.

ધોનીનો કેપ્ટનશિપનો રેકોર્ડ

ધોનીએ ચેન્નાઈને પાંચ વખત IPL જીતાડ્યું, એટલું જ નહીં, તેણે ટીમને પાંચ વખત ફાઈનલમાં પણ પહોંચાડી. તે એકમાત્ર એવો કેપ્ટન છે જેણે 10 IPL ફાઈનલ રમી છે. ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ 2010, 2011, 2018, 2021 અને 2023માં ચેમ્પિયન બની છે. 2008, 2012, 2013, 2015 અને 2019માં તે ટીમને ફાઈનલમાં લઈ ગયો હતો.

View this post on Instagram

A post shared by TV9 Gujarati (@tv9gujarati)

કેપ્ટન કુલના કપ્તાન તરીકે આંકડા

  • ચેન્નાઈએ ધોનીની કપ્તાનીમાં 226 મેચ રમી હતી.
  • ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈએ 133 મેચ જીતી અને 91માં હારનો સામનો કરવો પડ્યો.
  • ધોનીની કપ્તાનીમાં જીતની ટકાવારી 59.38 ટકા હતી.
  • ધોનીએ કેપ્ટન તરીકે 4660 રન બનાવ્યા હતા
  • કેપ્ટન તરીકે ધોનીએ 22 અડધી સદી ફટકારી હતી.
  • કેપ્ટન તરીકે ધોનીએ 218 સિક્સર અને 320 ફોર ફટકારી હતી.

ઋતુરાજ ગાયકવાડ CSKનો નવો કેપ્ટન

ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. IPLની શરૂઆત પહેલા કેપ્ટન્સનું એક ફોટોશૂટ છે જેમાં ધોનીની જગ્યાએ ગાયકવાડ પહોંચ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે ચેન્નાઈ માટે માત્ર 3 સિઝન રમી છે. તેણે 2020માં ડેબ્યૂ કર્યું હતું અને પ્રથમ સિઝનમાં તે માત્ર 6 મેચ જ રમી શક્યો હતો. પરંતુ 2021માં તેને તેની પૂરી તક મળી અને આ ખેલાડીએ એક સદી અને 4 અડધી સદીના આધારે 635 રન બનાવ્યા. 2022માં ગાયકવાડે માત્ર 368 રન બનાવ્યા હતા પરંતુ છેલ્લી સિઝનમાં ગાયકવાડે 16 મેચમાં 590 રન બનાવીને ટીમને ચેમ્પિયન બનાવી હતી. ગાયકવાડે IPLમાં અત્યાર સુધીમાં 52 મેચ રમી છે અને 39થી વધુની એવરેજથી 1797 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ 135થી વધુ છે.

ઋતુરાજને કપ્તાનીનો અનુભવ

ઋતુરાજ ગાયકવાડ પાસે કેપ્ટનશિપનો સારો અનુભવ છે. તે રણજીમાં મહારાષ્ટ્રની કેપ્ટનશીપ કરે છે. તેમજ તેમની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ધોની તેના નેતૃત્વના ગુણો જાણે છે અને તેથી જ ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ મળી છે.

આ પણ વાંચો : IPL 2024: નવા નિયમની સાથે રોમાંચક હશે આઈપીએલની 17મી સીઝન, બોલરને મળશે ફાયદો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">