AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલરો કેમ ફેંકવા લાગે છે No-ball, જાણો કેવી રીતે મળશે આ સમસ્યાથી છુટકારો?

અર્શદીપ સિંહે શ્રીલંકા સામેની બીજી T20માં 5 નો બોલ ફેંક્યા હતા, જેના પછી તેની આકરી ટીકા થઈ રહી છે. પણ સવાલ એ છે કે આવા સારા બોલરો નો બોલ (No-ball) કેમ ફેંકવા લાગે છે.

બોલરો કેમ ફેંકવા લાગે છે No-ball, જાણો કેવી રીતે મળશે આ સમસ્યાથી છુટકારો?
બોલરો કેમ ફેંકવા લાગે છે No-ballImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2023 | 5:03 PM
Share

શ્રીલંકા સામેની બીજી T20 મેચમાં ભારતનો 16 રને પરાજય થયો હતો. આ મેચમાં હારનું મુખ્ય કારણ બોલિંગમાં ભારતીય ખેલાડીઓની ભુલ હતી. ભારતના ફાસ્ટ બોલરોએ ઘણા વધારાના રન આપ્યા, જેમાં અર્શદીપ સિંહ સૌથી આગળ હતો. અર્શદીપ સિંહે આ મેચમાં પાંચ નો બોલ ફેંક્યા, જેના પછી આ ખેલાડીની ચારેબાજુથી ટીકા થઈ રહી છે. ક્રિકેટમાં નો બોલને ગુનો ગણવામાં આવે છે. તમે બેટ્સમેન પાસેથી ગમે તેટલા રન મેળવો, પરંતુ વાઈડ નો બોલના રન અસહ્ય હોય છે. જો કે હવે સવાલ એ છે કે બોલરો અચાનક નો બોલ કેમ ફેંકવાનું શરૂ કરી દે છે?

આ બોલર જે તેની ઉત્તમ લાઇન અને લેન્થ માટે જાણીતો છે, જેની અંદર ઘણી પ્રતિભા છે. છેવટે, તે અચાનક જ વારંવાર નો બોલ ફેંકવા જેવી ભૂલો કેમ કરે છે. ચાલો તમને નો બોલ ફેંકવાનું મોટું કારણ જણાવીએ.

1. રન અપમાં ભૂલ

નો બોલ ફેંકવાની ભૂલ રન અપમાં ખલેલને કારણે થાય છે. તમને જણાવી દઈએ કે દરેક બોલર પોતાના રન અપને માપે છે. ઘણી વખત ફાસ્ટ બોલરો મેચ પહેલા ઇંચ ટેપ લઈને પોતાની બોલિંગની નિશાની બનાવે છે. પરંતુ કેટલીકવાર બોલરો તરફથી રન અપ માર્ક કરવામાં ભૂલ થાય છે અને તેના કારણે તેઓ મેચમાં નો બોલ ફેંકવા લાગે છે.

2. મેચ પ્રેક્ટિસનો અભાવ

જ્યારે અર્શદીપ સિંહે બીજી ટી20માં પાંચ નો બોલ ફેંક્યા ત્યારે દિનેશ કાર્તિકે ટ્વીટ કર્યું કે આ બોલરે મેચ પ્રેક્ટિસના અભાવે આવી ભૂલ કરી. વાત સાચી છે. અર્શદીપ સિંહ ન્યૂઝીલેન્ડની વનડે સિરીઝમાં છેલ્લી વખત રમ્યો હતો. આ મેચ 30 નવેમ્બરે યોજાઈ હતી. મતલબ કે અર્શદીપ સિંહ એક મહિનાથી વધુ સમયથી ક્રિકેટ મેચ રમ્યો નથી. તે આરામ પર હતો અને તે પુણે ટી-20માંથી સીધો જ પાછો ફર્યો હતો અને તેના કારણે પણ બોલરો નો બોલ ફેંકવાની ભૂલ કરે છે.

3. માનસિક દબાણ

સતત નો બોલ ફેંકવાની સમસ્યા પણ માનસિક છે. જો કોઈ બોલર એક કે બે નો બોલ ફેંકે છે, તો તે તેના વિશે ઘણું વિચારવા લાગે છે. તે અંદરથી દબાણમાં આવી જાય છે કે તે ફરી નો બોલ ફેંકે નહીં. વાઈડ બોલના કિસ્સામાં પણ આવું જ થાય છે. આ જ કારણ છે કે બોલરો ઘણીવાર સતત બોલ ફેંકવા લાગે છે.

નો બોલથી કેવી રીતે છુટકારો મેળવવો?

નો બોલની સમસ્યા પ્રેક્ટિસ સાથે જ સમાપ્ત થાય છે. નેટ્સ પ્રેક્ટિસ દરમિયાન પણ બોલરોએ તેમના રન અપનું ધ્યાન રાખવું જોઈએ. પ્રેક્ટિસ દરમિયાન પણ તેની માનસિકતા મેચ જેવી જ હોવી જોઈએ.

g clip-path="url(#clip0_868_265)">