નસીબ હોય તો શુભમન ગિલ જેવું! રોહિત શર્મા ઈચ્છે તો પણ ટીમની બહાર નહીં કરી શકે

શુભમન ગિલે ગયા વર્ષે માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામેની અમદાવાદ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી, પરંતુ ત્યારથી આગામી 11 ઇનિંગ્સમાં તેનું બેટ ખરાબ રીતે શાંત રહ્યું છે. સદી ભૂલી જાઓ, શુભમન ગિલ આ 11 ઇનિંગ્સમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી.

નસીબ હોય તો શુભમન ગિલ જેવું! રોહિત શર્મા ઈચ્છે તો પણ ટીમની બહાર નહીં કરી શકે
Rohit Sharma & Shubman Gill
Follow Us:
| Updated on: Jan 30, 2024 | 7:41 AM

ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં 28 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાની બેટિંગ બીજી ઈનિંગમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ અને 231 રનનો લક્ષ્યાંક હાંસલ થઈ શક્યો નહીં. પરંતુ આમાં યુવા બેટ્સમેન શુભમન ગિલ સૌથી મોટો ટાર્ગેટ છે કારણ કે તે બંને ઇનિંગ્સમાં નિષ્ફળ રહ્યો હતો. હવે તેને બીજી ટેસ્ટમાંથી બહાર કરવાની માંગ ઉઠી રહી છે, પરંતુ તેને ગિલનું સદ્ભાગ્ય કહી શકાય કે આટલા પ્રદર્શન બાદ પણ તેને આગામી મેચમાં તક મળવાની ખાતરી છે.

શુભમન ગિલ દરેકના નિશાના પર

હૈદરાબાદ ટેસ્ટના પહેલા અને બીજા દિવસ સુધી ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે ચોથા દિવસે ભારત હારી જશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 190 રનની લીડ મેળવી હતી. આમ છતાં હાર ટીમ ઈન્ડિયાના હાથમાં આવી અને રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમને આ કડવા સત્યનો સામનો કરવો પડ્યો. ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર અને શુભમન ગિલ દરેકના નિશાના પર છે. ખાસ કરીને ગિલ કે જે છેલ્લા એક વર્ષથી નિષ્ફળ રહ્યો છે.

છેલ્લી 11 ઈનિંગ્સમાં શુભમન ગિલ નિષ્ફળ

આ મેચની પ્રથમ ઈનિંગમાં શુભમન ગિલે 23 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઈનિંગમાં તે માત્ર 2 બોલમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. ગિલે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદ ટેસ્ટમાં 128 રનની શાનદાર ઈનિંગ રમી હતી પરંતુ ત્યારથી તેનું બેટ નિષ્ફળ ગયું છે. માર્ચ 2023 માં રમાયેલી તે ઈનિંગ્સથી, ગિલે આગામી 11 ઈનિંગ્સમાં 17 ની સરેરાશથી માત્ર 173 રન બનાવ્યા છે. તેના બેટમાંથી એક પણ અડધી સદી આવી નથી અને સર્વોચ્ચ સ્કોર 36 રનનો રહ્યો છે.

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

સૌથી મોટું કારણ કેએલ રાહુલ

આવી સ્થિતિમાં ગિલને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવાની માંગ વાજબી જણાય છે. તેમ છતાં, તે લગભગ નિશ્ચિત છે કે તે બીજી ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાનાર બીજી ટેસ્ટમાં રમશે. જો કે, પ્રથમ ટેસ્ટમાં નિષ્ફળ ગયા બાદ પણ ગિલ બીજી મેચમાં રમે તેવી થોડી સંભાવનાઓ હતી, પરંતુ તેને ગિલનું નસીબ કહી શકાય કે હવે કેપ્ટન રોહિત અને કોચ રાહુલ દ્રવિડ ઈચ્છે તો પણ તેને ડ્રોપ કરી શકતા નથી. તેનું સૌથી મોટું કારણ કેએલ રાહુલ છે.

ગિલનું રમવાનું લગભગ નિશ્ચિત

હૈદરાબાદમાં ચોથા નંબર પર બેટિંગ કરી રહેલા રાહુલે મેચ બાદ જાંઘમાં દુખાવાની ફરિયાદ કરી હતી, જેના કારણે તે આગામી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. BCCIએ રાહુલના સ્થાને સરફરાઝ ખાનને ટીમમાં સામેલ કર્યો છે. તેના સિવાય રજત પાટીદાર અને ધ્રુવ જુરેલ પણ ટીમમાં છે. હવે આ ત્રણમાંથી કોઈ એક રમશે તે નિશ્ચિત છે, પરંતુ અહીં એક સમસ્યા છે, જેના કારણે ગિલનું રમવાનું લગભગ નિશ્ચિત જ છે.

ત્રણ ખેલાડીઓનું એકસાથે ડેબ્યૂ?

હકીકતમાં રજત, ધ્રુવ અને સરફરાઝ ત્રણેયને હજુ સુધી ટેસ્ટ ક્રિકેટનો અનુભવ નથી. તેમણે ફર્સ્ટ ક્લાસમાં સારું પ્રદર્શન કર્યું છે પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અલગ છે. હવે ગિલ અને અય્યરનું પ્રદર્શન સારું નથી અને કેએલ રાહુલ બહાર થઈ ગયો છે એવામાં ટીમ મેનેજમેન્ટ ત્રણેયને ડેબ્યૂ કરવાની તક આપી શકે છે, પરંતુ પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ રોહિત-દ્રવિડ આટલું મોટું જોખમ લેવા માગશે નહીં.

ગિલને વધુ એક ટેસ્ટમાં તક મળશે

ત્રણ બિનઅનુભવી બેટ્સમેનોનું એકસાથે ડેબ્યૂ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ગિલ ભલે ફોર્મમાં ન હોય પરંતુ તેની પાસે ઘણો અનુભવ છે. આવી સ્થિતિમાં તેને વધુ એક ટેસ્ટમાં તક મળશે તે નિશ્ચિત છે.

આ પણ વાંચો : બ્રેકિંગ ન્યૂઝ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, બીજી ટેસ્ટમાંથી બહાર થયા કેએલ રાહુલ અને જાડેજા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
માંગરોળના બણભા ડુંગર ખાતે આદિવાસી સમાજે ઉજવ્યો પિલવણી ઉત્સવ
માંગરોળના બણભા ડુંગર ખાતે આદિવાસી સમાજે ઉજવ્યો પિલવણી ઉત્સવ
ગંગોત્રી-યમનોત્રી માટે ઓફલાઇન રજીસ્ટ્રેશન 23મી મે સુધી બંધ
ગંગોત્રી-યમનોત્રી માટે ઓફલાઇન રજીસ્ટ્રેશન 23મી મે સુધી બંધ
દિલીપ સંઘાણીના જન્મદિવસમાં દિગ્ગજ પાટીદાર નેતાઓ રહ્યા ઉપસ્થિત- Video
દિલીપ સંઘાણીના જન્મદિવસમાં દિગ્ગજ પાટીદાર નેતાઓ રહ્યા ઉપસ્થિત- Video
BRTS અને ઇલેકટ્રીક સીટી બસના ડ્રાઇવરોએ પાડી હડતાળ, જાણો શું છે કારણ
BRTS અને ઇલેકટ્રીક સીટી બસના ડ્રાઇવરોએ પાડી હડતાળ, જાણો શું છે કારણ
Valsad : SOGએ નશાકારક કફ સીરપની 115 બોટલ પકડી
Valsad : SOGએ નશાકારક કફ સીરપની 115 બોટલ પકડી
g clip-path="url(#clip0_868_265)">