AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતને વર્લ્ડ કપ જીતાડનાર ક્રિકેટર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તો રાજસ્થાનની રાજકુમારી ગુસ્સે થઈ ગઈ

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર એસ શ્રીસંત પર તાજેતરમાં કેરળ ક્રિકેટ એસોસિએશન (KCA) દ્વારા ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે આ મુદ્દે તેમની પત્ની ભુવનેશ્વરી કુમારીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે.

ભારતને વર્લ્ડ કપ જીતાડનાર ક્રિકેટર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તો રાજસ્થાનની રાજકુમારી ગુસ્સે થઈ ગઈ
S Sreesanth with wife Bhuvaneshwari KumariImage Credit source: INSTAGRAM
| Updated on: May 03, 2025 | 6:24 PM
Share

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર એસ શ્રીસંત અને વિવાદોનો લાંબો ઈતિહાસ રહ્યો છે. તે ફરી એકવાર હેડલાઈન્સમાં છે. ખરેખર, કેરળ ક્રિકેટ એસોસિએશને (KCA) એસ શ્રીસંત પર ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. તે ક્રિકેટ સંબંધિત કોઈ પણ કામ કરી શકશે નહીં. KCAની ટીકા કરવા અને એસોસિએશન સામે આરોપો લગાવવા બદલ એસ શ્રીસંત સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. હવે આ મામલે તેની પત્ની ભુવનેશ્વરી કુમારીની પહેલી પ્રતિક્રિયા આવી છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

સેમસનના સમર્થનમાં નિવેદન અને KCAની ટીકા

ખરેખર, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા, શ્રીસંતે ભારતીય ક્રિકેટર સંજુ સેમસનના સમર્થનમાં એક મોટું નિવેદન આપતા કેરળ ક્રિકેટ એસોસિએશનની ટીકા કરી હતી. ત્યારબાદ સેમસનને કેરળની વિજય હજારે ટ્રોફી ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આ પછી, સેમસનને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પણ ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નહીં. આવી સ્થિતિમાં, શ્રીસંતે સંજુ સેમસનને ભારતીય ટીમમાંથી બહાર કરવા બદલ KCA પર નિશાન સાધ્યું હતું. અહીંથી જ વિવાદ શરૂ થયો હતો.

શ્રીસંત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

તમને જણાવી દઈએ કે, શ્રીસંત કેરળ પ્રીમિયર લીગ ફ્રેન્ચાઈઝી કોલ્લમ એરીઝનો સહ-માલિક પણ છે. શ્રીસંત સામે કાર્યવાહી કરતા KCAએ કહ્યું, ‘વિવાદાસ્પદ ટિપ્પણી બાદ, KCAએ કેરળ પ્રીમિયર લીગ ફ્રેન્ચાઈઝી કોલ્લમ એરીઝના માલિક શ્રીસંત, અન્ય ટીમો, એલેપ્પી ટીમના મુખ્ય કન્ટેન્ટ સર્જક સાઈ કૃષ્ણન અને એલેપ્પી રિપલ્સને કારણદર્શક નોટિસ ફટકારી હતી.’ પરંતુ શ્રીસંતે સંતોષકારક જવાબ આપ્યો નહીં. તેણે ફ્રેન્ચાઈઝીના માલિક તરીકે કરારની શરતોનું પણ ઉલ્લંઘન કર્યું હતું, જેના પછી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

શ્રીસંતની પત્ની ભુવનેશ્વરી કુમારીએ કરી પોસ્ટ

શ્રીસંતની પત્ની ભુવનેશ્વરી કુમારીએ હવે આ ઘટના પર સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી છે. જયપુર રાજવી પરિવારની રાજકુમારી ભુવનેશ્વરી કુમારીએ લખ્યું, ‘કેટલાક ક્રિકેટ સંગઠનો ખરેખર સ્ટેન્ડિંગ ઓવેશનને પાત્ર છે. ક્રિકેટ માટે નહીં, પણ નાટક અને અહંકાર વ્યવસ્થાપન માટે. તમે એવું કંઈક કહો છો જે તેમને ગમતું નથી – બૂમ! પ્રતિબંધો, બદનક્ષી અને તેમની ટ્રોફીની યાદી કરતા લાંબી પ્રેસ રિલીઝ. કદાચ તેમણે અભિનય એકેડમી શરૂ કરવી જોઈએ. ક્રિકેટનું રાજકારણ ડેઈલી સોપ (ટીવી સિરિયલ) ને મળતું આવે છે! ભુવનેશ્વરી કુમારીની આ પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

શ્રીસંતનો વિવાદો સાથે જૂનો સંબંધ છે

આ પહેલીવાર નથી જ્યારે શ્રીસંત સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય. આ પહેલા તે 2013ના IPL સ્પોટ ફિક્સિંગમાં પણ સામેલ હતો. આ કેસમાં શ્રીસંતની ધરપકડ પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, બાદમાં આ પ્રતિબંધને 7 વર્ષ કરવામાં આવ્યો હતો. વર્ષ 2009ની શરૂઆતમાં, તેને ક્રિકેટના મેદાન પર ખરાબ વર્તણૂક બદલ કડક ચેતવણી પણ આપવામાં આવી હતી. 2017માં, એસ શ્રીસંતનો બેંગલુરુ-દિલ્હી ફ્લાઈટ દરમિયાન ફ્લાઈટ એટેન્ડન્ટ્સ સાથે ઝઘડો થયો હતો, જેના કારણે પણ મોટો વિવાદ પણ થયો હતો.

આ પણ વાંચો: આ 5 IPL ખેલાડીઓ પર લાગ્યો હતો બળાત્કારનો આરોપ, નામ જાણીને ચોંકી જશો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">