પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીના આતંકવાદી ભાઈને BSF એ મારી નાખ્યો હતો, ભારત પ્રત્યે નફરત પાછળનું આ છે અસલી કારણ
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતની કાર્યવાહીથી ગભરાયેલી પાકિસ્તાની સરકાર ઉશ્કેરણીજનક નિવેદનો આપી રહી છે. આમાં કેટલાક ક્રિકેટરો પણ જોડાયા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ભારતીય સેના વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. આફ્રિદી હંમેશા ભારત વિરુદ્ધ નિવેદનો આપતો રહ્યો છે. આ પાછળનું કારણ 22 વર્ષ જૂનું છે.

22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પછી ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. જેના કારણે પાકિસ્તાન સંપૂર્ણપણે ડરી ગયું છે. બીજી તરફ, પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક નિવેદનો આપવામાં આવી રહ્યા છે. તેમાં કેટલાક ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરો પણ સામેલ છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પણ છેલ્લા કેટલાક દિવસોથી ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યો છે. તેણે ભારતીય સેનાને પણ નિશાન બનાવ્યું હતું. શાહિદ આફ્રિદીનો ભારત પ્રત્યેનો દ્વેષ કારણ વગરનો નથી. આની પાછળ 22 વર્ષ પહેલા બનેલી એક ઘટના છે, જે પછી આફ્રિદી ભારતને નફરત કરવા લાગ્યો હતો.
2003માં BSFએ આફ્રિદીના ભાઈને ગોળી મારી
આ ઘટના 2003 ની છે. જ્યારે ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીના આતંકવાદી પિતરાઈ ભાઈ શાકિબનો ભારતના બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા પીછો કરીને ગોળી મારી દેવામાં આવી હતી. 7 સપ્ટેમ્બર 2023 ના રોજ અનંતનાગમાં બીએસએફ દ્વારા એક એન્કાઉન્ટરમાં શાકિબને ઠાર મારવામાં આવ્યો હતો. ત્યારથી શાહિદ આફ્રિદી ભારતને નફરત કરવા લાગ્યો છે. BSF એ શાહિદ આફ્રિદીના પિતરાઈ ભાઈ શાકિબને હરકત-ઉલ-અંસારનો બટાલિયન કમાન્ડર ગણાવ્યો હતો. શાકિબ આતંકવાદી હાફિઝ સઈદ સાથે જોડાયેલો હતો. બીએસએફે ત્યારે કહ્યું હતું કે શાકિબ પાસેથી મળેલા દસ્તાવેજો શાહિદ આફ્રિદી સાથેના તેના સંબંધો સાબિત કરે છે. પરંતુ તે સમયે શાહિદ આફ્રિદીએ આ વાતનો ઇનકાર કર્યો હતો.
શાકિબ પેશાવરનો રહેવાસી હતો
શાકિબ પેશાવરનો રહેવાસી હતો અને માર્યા ગયા પહેલા લગભગ દોઢ વર્ષ સુધી અનંતનાગ વિસ્તારમાં સક્રિય હતો. શાહિદ આફ્રિદી 2003માં પાકિસ્તાન ક્રિકેટ ટીમનો નિયમિત ક્રિકેટર હતો. ત્યારે શાહિદ આફ્રિદીએ તેના આતંકવાદી પિતરાઈ ભાઈ વિશે કોઈ જાણકારી હોવાનો ઈનકાર કર્યો હતો. શાહિદ આફ્રિદીને અખબારોને કહ્યું હતું કે પઠાણ પરિવાર ખૂબ મોટો છે અને હું મારા ઘણા પિતરાઈ ભાઈ-બહેનોને ભૂલી ગયો છું. મને ખબર નથી કે મારો પિતરાઈ ભાઈ કોણ છે અને શું કરે છે.
પહેલગામ હુમલા બાદ ભારત પર લગાવ્યો મોટો આરોપ
શાહિદ આફ્રિદીએ તાજેતરમાં ભારત પર એક મોટો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે આતંકવાદીઓ પહેલગામમાં એક કલાક સુધી લોકોને મારી રહ્યા હતા અને 8 લાખમાંથી એક પણ ભારતીય સૈનિક આવ્યો નહીં, પરંતુ જ્યારે તેઓ આવ્યા ત્યારે તેમણે પાકિસ્તાન પર આરોપ લગાવ્યો. ભારત પોતે આતંકવાદમાં સંડોવાય છે, પોતાના લોકોને મારી નાખે છે અને પછી પાકિસ્તાન પર દોષારોપણ કરે છે. કોઈ પણ દેશ કે ધર્મ આતંકવાદને સમર્થન આપતો નથી. અમે હંમેશા શાંતિનું સમર્થન કરીએ છીએ. ઈસ્લામ આપણને શાંતિ શીખવે છે અને પાકિસ્તાન ક્યારેય આવી પ્રવૃત્તિઓનું સમર્થન કરતું નથી. અમે હંમેશા ભારત સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચો: Breaking News : ગુજરાતના IPL ક્રિકેટર પર રાજસ્થાનની યુવતીએ બળાત્કારનો ગંભીર આરોપ લગાવ્યો
