AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અંકલેશ્વરના પાનોલીની કંપનીમાં ભીષણ આગ, 15થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે, મેજર કોલ જાહેર

અંકલેશ્વરના પાનોલીની ક્રિશી રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડમાં આગની ઘટના સામે આવી છે. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા તા. અંકલેશ્વર-પાનોલીના 5થી વધુ ફાયર ફાયટરો ઘટના સ્થળે છે, તેમજ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2026 | 9:35 AM
Share

ભરૂચના અંકલેશ્વરના પાનોલીની કંપનીમાં ભીષણ આગ લાગી છે.ક્રિશી રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડમાં આગની ઘટના સામે આવતી છે.આગની જ્વાળા અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. 80 કામદારોને તાત્કાલિક ફેક્ટરીની બહાર કાઢવામાં આવ્યા છે. 3 કામદારોને ધુમાડાની અસર થઈ છે.ઇજાગ્રસ્ત 3 કામદારોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 15થી વધુ ફાયર ફાઇટરો આગ પર કાબૂ મેળવવા કામગીરીમાં જોડાયા છે.

આગ એટલી વિકરાળ છે કે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે.કંપની વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આગ લાગવાના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.ફાયર બ્રિગેડ દ્વારા સતત કૂલિંગ કામગીરી ચાલુ છે.

ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું.  અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">