KL Rahul હવે વેસ્ટ ઇન્ડિઝ સામેની T20 સિરીઝમાં પણ નહીં રમે, જાણો ક્યારે કરશે વાપસી

|

Jul 27, 2022 | 12:39 PM

કેએલ રાહુલ (KL Rahul) આઈપીએલ 2022 થી ક્રિકેટના મેદાનથી દૂર છે. પહેલા તેને સ્પોર્ટ્સ હર્નિયા થયો હતો અને ત્યાર બાદ તે કોવિડ-19ની ઝપેટમાં આવી ગયો હતો. હવે તબીબોએ તેમને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી છે.

KL Rahul હવે વેસ્ટ ઇન્ડિઝ સામેની T20 સિરીઝમાં પણ નહીં રમે, જાણો ક્યારે કરશે વાપસી
KL Rahul (File Photo)

Follow us on

ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) T20I શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે નથી. ESPNcricinfo સમજે છે કે રાહુલનો સંસર્ગનિષેધનો સમયગાળો બુધવારે પૂરો થાય છે. પરંતુ BCCI ની મેડિકલ ટીમે તેમને એક સપ્તાહનો આરામ કરવાની સલાહ આપી છે. રાહુલ ગયા અઠવાડિયે જ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

સ્પોર્ટ્સ હર્નીયાની સર્જરી બાદ લોકેશ રાહુલ NCA બેંગ્લોરમાં સ્વસ્થ થઈ રહ્યો હતો અને એવી અપેક્ષા હતી કે તે વેસ્ટ ઈન્ડિઝમાં T20I શ્રેણીમાંથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફરશે. પરંતુ હવે એ શક્યતા ખતમ થઈ ગઈ છે. બે નેગેટિવ રિપોર્ટ બાદ પણ તે હવે વેસ્ટ ઈન્ડિઝ જશે નહીં. કારણ કે ડોક્ટરોએ તેને આરામ કરવાની સલાહ આપી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

 

ઝિમ્બાબ્વે સામેની વન-ડે શ્રેણીથી ટીમ ઇન્ડિયામાં જોડાશે

હવે તે ઝિમ્બાબ્વે સામેની વનડે શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરશે. ભારત 18, 20 અને 22 ઓગસ્ટના રોજ હરારેમાં ઝિમ્બાબ્વે સામે ત્રણ વનડે મેચ રમવાનું છે. તમને જણાવી દઇએ કે આ વન-ડે સીરિઝ વર્લ્ડ કપ 2023 ની સુપર લીગનો ભાગ છે. ભારત યજમાન તરીકે 2023 ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ચૂક્યું છે.ઝિમ્બાબ્વે સામેની વનડે શ્રેણી પૂરી થયા બાદ તરત જ ભારતીય ટીમ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી UAE માં રમાનારી એશિયા કપ (Asia Cup 2022) માં ભાગ લેવા માટે યુએઈ પહોંચશે. આમ ભારતીય ટીમનો ક્રિકેટ કાર્યક્રમ સતત વ્યસ્ત રહેશે.

 

આઈપીએલ 2022 (IPL 2022) પછી લોકેશ રાહુલ (KL Rahul) ક્રિકેટના મેદાનથી સતત દુર રહ્યો છે. તેને દક્ષિણ આફ્રિકા સામેની પાંચ T20I માટે ભારતીય ટીમનો સુકાની તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ જાંઘની ઈજાને કારણે તેને ફરી ટીમ ઇન્ડિયામાંથી બહાર થઇ ગયો હતો. ત્યાર બાદ તે ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી પણ બહાર થઈ ગયો હતો.

આ દરમિયાન તેણે જૂનમાં સ્પોર્ટ્સ હર્નિયાની સર્જરી કરાવી હતી અને જ્યારે તેને કોરોના થયો ત્યારે તે વેસ્ટ ઈન્ડિઝ સામેની T20I શ્રેણી માટે ફિટ દેખાઈ રહ્યો હતો.

Next Article