AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran-Israel War Breaking : ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ક્રિકેટ પર ખરાબ અસર પડી, 6 મેચની સીરિઝ

ટી20 વર્લ્ડકપ 2026 બાદ પહેલી વખત મેદાન પર ઉતરનારી આ 2 ટીમો વચ્ચે વનડે અને ટી20 સીરિઝ રમાશે.જેનું આયોજન UAEમાં થવાનું છે. હવે આ સીરિઝ ક્યારે રમાશે. તેને લઈ કોઈ હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી.

Iran-Israel War Breaking : ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ક્રિકેટ પર ખરાબ અસર પડી, 6 મેચની સીરિઝ
| Updated on: Mar 11, 2026 | 10:03 AM
Share

પશ્ચિમ એશિયામાં ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની અસર દરેક જગ્યાએ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટથી લઈ વેપાર પર ખરાબ અસર પડી છે. કેટલાક ખેલાડીઓ આ કારણે પોતાની મેચ માટે સ્થળ પર પહોચી શક્યા નથી.હવે ક્રિકેટ પર પણ આ યુદ્ધની અસર જોવા મળી રહી છે.ખાડી દેશમાં ચાલી રહેલા આ સૈન્ય ટકરાવના કારણે અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાનારી 6 મેચની વાઈટ-બોલ સીરિઝને ટાળવી પડી છે.

આ સીરિઝનું આોજન UAEમાં કરવામાં આવ્યું હતુ પરંતુ તણાવપૂર્ણ હાલતને લઈ અફઘાનિસ્તાન અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડે સાથે મળી તેને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખ્યું છે.

ODI-T20 સીરિઝ લાંબા સમય માટે મુલતવી રાખવામાં આવી

ક્રિકબઝના રિપોર્ટ મુજબ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે જણાવ્યું કે, વનડે અને ટી20 સીરિઝ હાલમાં સ્થગિત કરવામાં આવી છે. બોર્ડે પશ્ચિમ એશિયાની હાલતને આનું કારણ જણાવ્યું છે. આ સાથે કહ્યું કે, ફ્લાઈટથી લઈ લોજિસ્ટિક્સ સુધી તેમજ અન્ય પરેશાનીઓ પણ આનું કારણ છે. આ સીરિઝ 13 માર્ચ થી 25 માર્ચ વચ્ચે રમાશે. જેમાં 3 વનડે અને 3 ટી20 મેચ સામેલ હતી. અફઘાનિસ્તાન ક્રિકેટબોર્ડે આ માટે સ્કવોડની પણ જાહેરાત કરી દીધી છે. જેમાં ઈબ્રાહિમ જાદરાનને નવા ટી20 કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યા છે.

રિપોર્ટમાં જણાવ્યું છે કે, બંન્ને ક્રિકેટ બોર્ડ સાથે મળી આ સીરિઝને શ્રીલંકામાં આયોજિત કરવાના વિકલ્પ પર વિચાર કર્યો પરંતુ આ માટે પણ UAEથી શ્રીલંકા સુધીની ફ્લાઇટ્સ હાલમાં ઉપલબ્ધ નથી, જેના કારણે આ વિકલ્પ અપનાવી શકાયો નથી. જોકે સીરિઝ રદ કરવામાં આવી નથી, તે ક્યારે ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે તે સ્પષ્ટ નથી. જોકે, બોર્ડને આશા છે કે તે આ વર્ષના અંતમાં યોજાઈ શકશે.

IPLમાં જોવા મળશે અફઘાનિસ્તાન-શ્રીલંકાના ખેલાડીઓ

આ સીરિઝ હાલમાં સ્થગિત કરવાના કારણે અફઘાનિસ્તાન અને શ્રીલંકાના ખેલાડીઓને સીધો આઈપીએલ 2026ની રાહ જોવી પડશે. આ વખતે પણ આઈપીએલમાં રાશિદ ખાન, અઝમતુલ્લા ઓમરઝાઈ, નુર અહમદ,મહીશ તીક્ષણા, મતીષા પથિરાણા જેવા અફઘાનિસ્તાન અને શ્રીલંકાના ખેલાડીઓ અલગ અલગ ટીમમાંથી મેદાનમાં ઉતરશે. આ ટૂર્નામેન્ટની શરુઆત 28 માર્ચથી થવાની છે અને 31 માર્ચ સુધી ચાલશે. હજુ સુધી આઈપીએલનું શેડ્યુલ પણ સામે આવ્યું નથી.

T20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી અને ટૂંકા સમયગાળામાં આ ફોર્મેટે વિશ્વભરમાં અદ્ભુત લોકપ્રિયતા મેળવી છે. અહી ક્લિક કરો

Follow Us
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
g clip-path="url(#clip0_868_265)">