IPL 2022 Points Table: કોલકાતાને હૈદરાબાદ સામેની હાર મોંઘી પડી, પોઈન્ટ ટેબલ પર કેવી રહી અસર, જાણો

IPL 2022 Points Table: IPL ની 24 મેચો પછી, ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર આવી ગઈ છે. લીગ મેચો બાદ પોઈન્ટ ટેબલમાં ટોપ ચારમાં રહેલી ટીમો આગળ વધશે.

IPL 2022 Points Table: કોલકાતાને હૈદરાબાદ સામેની હાર મોંઘી પડી, પોઈન્ટ ટેબલ પર કેવી રહી અસર, જાણો
Kane Williamson એ SRH ને સળંગ ત્રીજી જીત સિઝનમાં અપાવી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 7:46 AM

IPL 2022 માં 25 મેચ રમાઈ છે. દરેક મેચ સાથે લીગનો ઉત્સાહ વધી રહ્યો છે. આ વખતે આઠ ની જગ્યાએ 10 ટીમો ભાગ લઈ રહી છે, જેના કારણે પોઈન્ટ ટેબલ (IPL 2022 Points Table) ની રેસ ઘણી મુશ્કેલ અને રસપ્રદ બની રહી છે. પોઈન્ટ અને નેટ રન રેટને લઈને ટીમો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. લીગની તમામ મેચો પૂર્ણ થયા બાદ ટોચની ચાર ટીમો આગલા રાઉન્ડમાં પ્રવેશ કરશે. શુક્રવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી. હૈદરાબાદ (Sunrisers Hyderabad) ની જીતથી પોઈન્ટ ટેબલમાં પણ ઘણો બદલાવ આવ્યો છે.

રાહુલ ત્રિપાઠી અને એડન માર્કરમની આક્રમક ઈનિંગ્સ અને ઝડપી બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે સનરાઈઝર્સ હૈદરાબાદે શુક્રવારે આઈપીએલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને સાત વિકેટે હરાવ્યું હતું. સનરાઇઝર્સ તરફથી ફાસ્ટ બોલર માર્કો યાનસને 26 રનમાં 1, ટી નટરાજને 37 રનમાં 3, ભુવનેશ્વર કુમારે 37 રનમાં 1 અને ઉમરાન મલિકે 27 રનમાં 2 વિકેટ લીધી હતી. તેણે KKR ને આઠ વિકેટે 175 રન પર રોકી દીધું. જવાબમાં ત્રિપાઠીએ 37 બોલમાં 71 અને માર્કરામે 36 બોલમાં અણનમ 68 રન ફટકારીને સનરાઇઝર્સને સતત ત્રીજી જીત અપાવી હતી. સનરાઇઝર્સે 13 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

પોઈન્ટ ટેબલમાં સનરાઈઝર્સ હૈદરાબાદને ફાયદો

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ શુક્રવાર પહેલા આઠમા સ્થાને હતી. જોકે હવે પાંચ મેચમાં ત્રણ જીત સાથે તે સાતમા સ્થાને પહોંચી ગઈ છે. તે જ સમયે, KKR માટે ત્રીજી હાર ઘણી મોંઘી પડી છે. તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાનેથી ચોથા સ્થાને આવી ગઈ છે. KKRએ છ માંથી ત્રણ મેચ જીતી છે અને તેના છ પોઈન્ટ છે. અત્યારે પોઈન્ટ ટેબલમાં છ ટીમોના છ પોઈન્ટ છે, પરંતુ નેટનેરેટના કારણે તેમની વચ્ચે તફાવત છે.

પોઈન્ટ ટેબલની શું છે સ્થિતી જુઓ

હાલ પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સની ટીમ ટોપ પર છે. તેણે પાંચ મેચ રમી છે જેમાંથી તેને માત્ર એક જ હાર મળી છે. તે પછી બીજા સ્થાને રાજસ્થાન રોયલ્સ અને ત્રીજા સ્થાને પંજાબ કિંગ્સ છે. બંનેના છ પોઈન્ટ છે પરંતુ રાજસ્થાનનો નેટ્રેટ વધુ સારો છે. ચોથા સ્થાને KKR છે જેના છ મેચમાં ત્રણ જીત સાથે છ પોઈન્ટ છે. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ પાંચ મેચમાં ત્રણ મેચ જીતી છે અને પાંચમા સ્થાને છે.

આ પણ વાંચો : IPL 2022 Orange Cap: રાહુલ ત્રિપાઠી મોટી ઈનીંગ પછી પણ ક્યાં પહોંચ્યો? જોસ બટલર હજુ પણ નંબર-1

આ પણ વાંચો : Cheteshwar Pujara: પુજારા ડેબ્યૂ મેચમાં જ રહ્યો ફ્લોપ, અડધા કલાકમાં જ બેટીંગનો ખેલ ખતમ! ફોર્મ મેળવવાનો પ્રયાસ ફરીવાર નિષ્ફળ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">