AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

154.7 કિમી/કલાકની સ્પીડે સૌથી ફાસ્ટ બોલિંગ કરનારા ગુજરાતની ટીમનો ખેલાડી અશોક શર્મા ખાય છે શું ?

ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર અશોક શર્મા IPL 2026માં 154.7 km/hની સ્પીડથી ચર્ચામાં છે. તેમની આ ગતિનું રહસ્ય જાણવા ઘણા ઉત્સુક છે, પણ તેમની ડાયેટ અત્યંત સરળ છે.

154.7 કિમી/કલાકની સ્પીડે સૌથી ફાસ્ટ બોલિંગ કરનારા ગુજરાતની ટીમનો ખેલાડી અશોક શર્મા ખાય છે શું ?
| Updated on: Apr 06, 2026 | 6:59 PM
Share

Ashok Sharma Diet: ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર અશોક શર્મા હાલમાં ક્રિકેટ ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. IPL 2026 દરમિયાન તેમણે 154.7 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને સૌને ચોંકાવી દીધા હતા. આ ગતિ માત્ર ભારતીય જ નહીં પરંતુ વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓને પણ આશ્ચર્યમાં મૂકી દે તેવી છે. હવે મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે અશોક શર્મા આટલી ઝડપ કેવી રીતે મેળવે છે? અને તેનો ડાયેટ શું છે?

અશોક સંપૂર્ણ શાકાહારી છે અને ઈંડા પણ ખાતો નથી

અશોક શર્માના ડાયેટ વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તેમના મોટા ભાઈ અક્ષયે જણાવ્યું કે અશોક કોઈ ખાસ અથવા મોંઘા ડાયેટને ફોલો કરતા નથી. તેઓ માત્ર ઘરે બનતો સામાન્ય અને પૌષ્ટિક ખોરાક જ લે છે. રોજ સવારે તેઓ દલિયા, રોટલી અને શાકભાજી ખાતા હોય છે. સાથે જ તેમના આહારમાં દૂધનો પણ સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે અશોક સંપૂર્ણ શાકાહારી છે અને ઈંડા પણ ખાતો નથી.

અશોક શર્માની સફર પણ એટલી જ પ્રેરણાદાયક છે જેટલી તેમની બોલિંગ. તેઓ એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમના પિતા નાથુલાલ ખેડૂત છે અને માતા લાલી દેવી ગૃહિણી છે. આર્થિક રીતે પરિવાર બહુ મજબૂત નહોતો, છતાં તેમના મોટા ભાઈ અક્ષયે પોતાનું ક્રિકેટર બનવાનું સપનું છોડીને અશોકને આગળ વધારવા માટે મદદ કરી. આ ત્યાગ અને સપોર્ટના કારણે જ અશોક આજે આ મુકામે પહોંચી શક્યા છે.

ડેબ્યૂ કરવાની તક મળી નહોતી

ગુજરાત ટાઇટન્સએ IPL 2026 માટે અશોક શર્માને ₹95 લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. અગાઉ 2022માં તેઓ કોલકાતા નાઇટ રાઇડર્સનો ભાગ હતા, પરંતુ તેમને ડેબ્યૂ કરવાની તક મળી નહોતી. 2025માં રાજસ્થાન રોયલ્સ સાથે પણ તેમને રમવાની તક ન મળી. પરંતુ ગુજરાત ટાઇટન્સે તેમના પર વિશ્વાસ મૂક્યો અને અશોકે પણ પોતાના પ્રદર્શનથી તે વિશ્વાસને સાચો ઠેરવ્યો.

હાલમાં રાજસ્થાનના રામપુરા ગામમાં અશોકની સફળતા માટે ઉજવણીનો માહોલ છે. ગામના લોકો પોતાના “શર્માજીના પુત્ર” પર ગર્વ અનુભવી રહ્યા છે. હવે અશોક શર્માનું આગળનું લક્ષ્ય ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવાનું છે. જો તેઓ આવી જ મહેનત અને સમર્પણ સાથે આગળ વધશે, તો એ દિવસ દૂર નથી જ્યારે તેઓ ભારત માટે વાદળી જર્સીમાં રમતા જોવા મળશે.

આંકડાઓની વાત કરીએ તો અશોક શર્માએ અત્યાર સુધી 4 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 14 વિકેટો લીધી છે. ઉપરાંત, 7 લિસ્ટ A મેચોમાં 13 વિકેટ અને 12 T20 મેચોમાં 24 વિકેટ લઈને તેઓ પોતાની ક્ષમતા સાબિત કરી ચૂક્યા છે.

IPL 2026માં પ્લેઓફમાંથી પણ બહાર થઈ શકે છે CSK, પોઈન્ટ ટેબલમાં કંગાળ હાલત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">