AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: MS ધોની એવોર્ડ લેવા ન ગયો, ગુજરાત સામેની હાર બાદ CSKના પૂર્વ કેપ્ટનને શું થયું?

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત સામે મેચ હાર્યા બાદ જ્યારે એવોર્ડ ડિસ્ટ્રિબ્યુશનની હતી, ત્યારે આ સેરેમની વખતે એમએસ ધોની તેનો એવોર્ડ લેવા પણ હાજર ન રહ્યો. તેની જગ્યાએ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ધોનીનો એવોર્ડ સ્વીકાર્યો હતો. જે બાદ ફેન્સના મનમાં ધોનીને લઈ અનેક સવાલો ઊભા થયા હતા.

IPL 2024: MS ધોની એવોર્ડ લેવા ન ગયો, ગુજરાત સામેની હાર બાદ CSKના પૂર્વ કેપ્ટનને શું થયું?
MS Dhoni
Follow Us:
| Updated on: May 16, 2024 | 4:36 PM

ગુજરાત ટાઈટન્સ સામે 35 રનની હાર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીનું શું થયું? કારણ કે જ્યારે તેને એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે ધોની તેને લેવા ન આવ્યો. ધોનીના સ્થાને CSKના નવા કેપ્ટન બનેલા ઋતુરાજ ગાયકવાડે એવોર્ડ સ્વીકાર્યો. જે બાદ ફેન્સના મનમાં અનેક સવાલો ઊભા થયા હતા.

ધોની મેચનો ઈલેક્ટ્રિક સ્ટ્રાઈકર બન્યો

ચેન્નાઈ સુપર કિંગ્સ આ મેચ જીતી શકી નહીં. પરંતુ, CSK ચાહકો માટે સારી વાત એ હતી કે તેમને ધોનીની બેટિંગ જોવાનો મોકો મળ્યો. ધોની અંત સુધી અણનમ રહ્યો અને તેણે માત્ર 11 બોલમાં 26 રન બનાવ્યા. ધોનીએ 236.36ના સ્ટ્રાઈક રેટથી રમાયેલી ઈનિંગમાં 1 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. ધોનીનો સ્ટ્રાઈક રેટ માત્ર તેના પોતાના જ નહીં પરંતુ બંને ટીમના બેટ્સમેનોમાં પણ સૌથી વધુ હતો, જેના કારણે તેને મેચના અંતે ઈલેક્ટ્રિક સ્ટ્રાઈકર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડે એવોર્ડ લીધો

ધોનીને ઈલેક્ટ્રીક સ્ટ્રાઈકર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો પરંતુ તે તેને લેવા આવ્યો નહોતો. પૂર્વ કેપ્ટન ધોનીના સ્થાને CSKના વર્તમાન કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે જઈને પોતાનો એવોર્ડ લીધો હતો. આ પછી લોકોના મનમાં અનેક પ્રકારના સવાલો ઉઠવા લાગ્યા. સવાલ એ છે કે ધોનીનું શું થયું? તે એવોર્ડ લેવા કેમ ન આવ્યો? તેની ઈજા અંગે શું અપડેટ છે?

સચિનની લાડલી સારા તેંડુલકરને થયો પ્રેમ, કહ્યું- તમે મારું દિલ જીતી લીધું...
17 વર્ષની અભિનેત્રીના પરિવાર વિશે જાણો
મોંઘી ગાડીઓ, લક્ઝરી બેગ, નાની ઉંમરે કરોડોની માલિક છે અનુષ્કા સેન
Plant In Pot : છોડમાં ખાતર નાખતી વખતે આ બાબતનું રાખો ધ્યાન
ફક્ત એક ક્લિકથી બદલાઈ જશે Whatsapp વોલપેપર, આટલું હશે અદ્ભુત
કેરી સાથે ક્યારેય આ વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી

ઈજા સાથે જોડાયેલી બાબત?

આ ક્ષણે આ પ્રશ્નોના કોઈ જવાબ નથી. કારણ કે, અત્યાર સુધી ન તો CSKના અધિકારીઓ કે અન્ય કોઈ સ્ત્રોતને આ અંગે માહિતી મળી છે. પરંતુ, આવું ભાગ્યે જ બન્યું છે જ્યારે ધોનીને એવોર્ડ મળ્યો હોય અને તે તેને લેવા ન આવ્યો હોય. અને, હવે જો આવું થયું છે તો તે તેની ઈજા સાથે જોડાયેલી બાબત હોઈ શકે છે.

આ પણ વાંચો : શું IPLમાં ટોસ ખતમ થશે? BCCIએ ભર્યું પહેલું પગલું, જય શાહે મૂક્યો પ્રસ્તાવ

g clip-path="url(#clip0_868_265)">