IPL 2024 : 3 ટીમ પ્લેઓફની ખુબ નજીક છે, જ્યારે 2 ટીમોની આશા પર ફરી વળશે પાણી
આઈપીએલ પ્લેઓફનું ચિત્ર ટુંક સમયમાં જ સ્પષ્ટ થઈ જશે. પ્લેઓફમાં કેટલી ટીમ એન્ટ્રી કરશે તે તો થોડા સમયમાં જ ખબર પડી જશે. હવે તમામ મેચ ખુબ રસપ્રદ રહેશે. કોઈ પણ ટીમને પ્લેઓફમાં જવા માટે 16 અંક જરુરી છે.
આઈપીએલ 2024ની સીઝન જેમ જેમ આગળ વધી રહી છે. પ્લેઓફની રેસ ખુબ રસપ્રદ બની રહી છે.અત્યાર સુધી આ સીઝનમાં કુલ 38 મેચ રમાય ચુકી છે પંરતુ કોઈ પણ ટીમ ન તો ક્વોલિફાયમાં સ્થાન પાક્કું કર્યું છે કે, ન તો કોઈ ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ છે પરંતુ એટલું જરુરી છે કે, પોઈન્ટ ટેબલમાં 3 ટીમ એવી છે જે પ્લેઓફની ખુબ નજીક છે. જ્યારે કહી શકાય કે, 2 ટીમ માટે હવે આઈપીએલ 2024 ટાઈટલ જીતવાનું સપનું છોડી દેવું પડશે, પરંતુ હજુ પણ તેની પાસે માત્ર થોડી શક્યતાઓ રહેલી છે.
કોઈ પણ ટીમને પ્લેઓફમાં જવા માટે 16 અંક જરુરી
આઈપીએલ પ્લેઓફમાં જવા માટે કોઈ પણ ટીમને 16 અંક હોવા જરુરી છે. એટલે કે, ટીમને 8 મેચ જીતવી જરુરી છે. મુંબઈ ઈન્ડિયન્સને હરાવી રાજસ્થાન રોયલ્સની ટીમે 8 મેચમાંથી 7 મેચમાં જીત મેળવી લીધી છે. તેની પાસે કુલ 14 અંક છે. એટલે કે, રાજસ્થાનને હવે માત્ર એક મેચ જીતવાની જરુર છે. તેની હજુ 6 મેચ બાકી છે.
કેકેઆર અને હૈદરાબાદ પાસે પ્લેઓફમાં જવાના ચાન્સ
રાજસ્થાન રોયલ્સ સિવાય કેકેઆર અને સનરાઈઝર્સ હૈદરાબાદ પણ પ્લેઓફને ખુબ નજીક છે. બંન્ને ટીમોએ પોતાની 7-7 મેચ રમી લીધી છે. જેમાં 5માં જીત મેળવી છે.એટલે કે, તેની પાસે હાલમાં 10 અંક છે. બંન્ને ટીમોની હજુ 7 મેચ બાકી છે. જેમાં જો ટીમ 3 મેચ જીતી ગઈ તો પ્લેઓફમાં એન્ટ્રી પાક્કી છે. પરંતુ નંબર 4 માટે મોટો સંધર્ષ જોવા મળી રહ્યો છે. 8 પોઈન્ટની સાથે 3 ટીમ છે.
ધોની, કે એલ રાહુલ અને શુભમન ગિલની ટીમના 8 પોઈન્ટ
પોઈન્ટ ટેબલમાં નંબર 4 પર સીએસકે છે. ટીમે 7માંથી 4 મેચ જીતી લીધી છે અને તેની પાસે 8 પોઈન્ટ છે. લખનૌએ 4 મેચ જીતી લીધી છે. તેની પાસે 8 અંક છે, ગુજરાત ટાઈટન્સની ટીમ અત્યારસુધી 8 મેચ રમી ચુકી છે અને 4માં જીત મેળવી તેની પાસે કુલ 8 પોઈન્ટ છે. આ ત્રણેય ટીમ પાસે બરાબર 8 પોઈન્ટ છે. તફાવત માત્ર એટલો છે કે, સીએસકે અને લખનૌની સાત મેચ બાકી છે. જ્યારે ગુજરાતને હજુ 6 મેચ રમવાની છે.
મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ એકસાથે છે. બંને ટીમોએ 8 મેચ રમી છે અને તેમાંથી માત્ર 3 જીતી છે અને 6 પોઈન્ટ છે. જો કે પ્લેઓફમાં જવાની તેમની શક્યતાઓ સમાપ્ત થઈ નથી, પરંતુ હવે રસ્તો વધુ મુશ્કેલ છે. પંજાબ અને આરસીબીની હાલત ખૂબ જ ખરાબ છે. પંજાબે 8માંથી 2 મેચ જીતી છે તો તેની પાસે 4 પોઈન્ટ છે. આરસીબીએ 8માંથી એકમાં જ જીત મેળવી છે,
એટલે કે, જો આ ટીમને ક્વોલિફાય રાઉન્ડમાંથી પસાર થવું છે તો તેમણે બાકી રહેલી મેચ જીતવાની રેહેશ અને તે પણ સારા રનરેટ સાથે. આવનાર થોડા દિવસમાં જ પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
આ પણ વાંચો : IPL 2024 : આજ ઝુકેગા નહિ “થાલા” કે.એલ રાહુલે માહીનું બેટ ચેક કર્યું જુઓ વીડિયો