IPL 2024 LSG vs DC : દિલ્હી સામે લખનૌની જીત માટે RCB કરશે પ્રાર્થના, જાણો કેમ?

IPL 2024માં લખનૌ અને દિલ્હી વચ્ચેની મેચનું પરિણામ RCB માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે દિલ્હી કેપિટલ્સની હાર દિલ્હી કરતા બેંગલુરુને વધુ નુકસાન કરશે. એવામાં દિલ્હી અને લખનૌની મેચ પર RCBની નજર રહેશે અને તેઓ દિલ્હીના હાર માટે પ્રાર્થના કરશે.

IPL 2024 LSG vs DC : દિલ્હી સામે લખનૌની જીત માટે RCB કરશે પ્રાર્થના, જાણો કેમ?
LSG vs DC & RCB
Follow Us:
| Updated on: Apr 12, 2024 | 7:08 PM

IPL 2024માં પણ RCB પોતાના પગમાં ગોળી મારી રહી હોય તેવું લાગી રહ્યું છે. હવે શક્ય છે કે દિલ્હીઅને લખનૌ વચ્ચેની મેચ બાદ તેને વધુ એક હારનો સામનો કરવો પડી શકે છે. જો કે, આ જાણવા માટે આપણે આ મેચના પરિણામની રાહ જોવી પડશે. દિલ્હીનો કેપ્ટન રિષભ પંત બેવડા ફાયદા માટે મેદાનમાં ઉતરશે. જો દિલ્હી લખનૌમાં તેમના હોમ ગ્રાઉન્ડ પર LSGને હરાવશે તો RCBને નુકસાન થશે.

દિલ્હી પોઈન્ટ ટેબલમાં અંતિમ સ્થાન પર

IPL 2024ની 26મી મેચમાં દિલ્હી અને લખનૌની ટીમો આમને-સામને થશે. આ સિઝનમાં દિલ્હીની આ છઠ્ઠી અને લખનૌની પાંચમી મેચ હશે. આ પહેલા રમાયેલી 4માંથી 3 મેચ જીત્યા બાદ લખનૌ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. જ્યારે દિલ્હી કેપિટલ્સની ટીમે 5 માંથી 1 મેચ જીતી છે અને DC પોઈન્ટ ટેબલમાં અંતિમ સ્થાન પર છે.

લખનૌ હારશે તો દિલ્હીને બેવડો ફાયદો થશે

હવે જો દિલ્હી કેપિટલ્સ તેની છઠ્ઠી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવશે તો તેને બેવડો ફાયદો થશે. પહેલો ફાયદો એ થશે કે તેમને જીત મળશે અને બીજો ફાયદો એ છે કે તે જીતના બદલામાં તેમને જે 2 પોઈન્ટ મળશે તે RCBને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને ધકેલી દેશે, જે મુંબઈ ઈન્ડિયન્સ સામેની હાર બાદ RCBને બીજો ફટકો હશે. RCB હાલમાં 6માંથી 1 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં નવમાં નંબર પર છે.

ચોમાસામાં ગોળની ચા પીવાના 10 ફાયદા જાણો
હાર્દિકના ઘરે વર્લ્ડ કપ જીતની ઉજવણી, પત્ની નતાશા ગેરહાજર ! ભાભી પંખુરીએ શેર કરી તસવીર
ફેટી લીવર હોય તો સવારે શું ખાવું ?
વિરાટ કોહલી તેના બાળપણના કોચને ગળે મળતા જ થયો ભાવુક, જુઓ તસવીર
જ્યાં છે અંબાણીનું ઘર એન્ટિલિયા ત્યાં જમીનના ભાવ શું છે? આટલામાં મળશે એક ફ્લેટ
રમ, વ્હિસ્કી, વાઇન અને બીયર... શેમાં નશો વધારે થાય ?

RCBને આ કારણે જ રાહત!

જો કે, IPL 2024ના આંકડાઓમાં લખનૌ સુપર જાયન્ટ્સ દિલ્હી કેપિટલ્સ કરતા વધુ સારી દેખાઈ રહી છે, તેથી RCB માટે કોઈ ખતરો નથી. IPL 2022 થી રમાયેલી ઘરેલું મેચો પર નજર કરીએ તો લખનૌના આંકડા વધુ મજબૂત દેખાય છે. આ સમયગાળા દરમિયાન, LSGએ ઘરઆંગણે રમાયેલી 18માંથી 9 મેચ જીતી છે, જે 10 ટીમોમાં ત્રીજો શ્રેષ્ઠ જીત-હારનો રેશિયો છે. જ્યારે બીજી તરફ દિલ્હી કેપિટલ્સે આ સમયગાળા દરમિયાન ઘરની બહાર રમાયેલી 17 મેચમાંથી માત્ર 6 જ જીતી છે, જે 10 ટીમોની સરખામણીમાં સૌથી ઓછી છે.

આ પણ વાંચો : 40 વર્ષનો રોહિત શર્મા ટીમ ઈન્ડિયાને 2027માં ODI વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવશે!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

અદાણીને આપેલી ગૌચરની જમીન ગામના લોકોને પરત કરવા હાઈકોર્ટનો આદેશ
અદાણીને આપેલી ગૌચરની જમીન ગામના લોકોને પરત કરવા હાઈકોર્ટનો આદેશ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ?
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ?
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
રાહુલની મુલાકાત પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી વાસનિક આવ્યા ગુજરાત
રાહુલની મુલાકાત પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી વાસનિક આવ્યા ગુજરાત
અમદાવાદ: AMC ના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મળ્યા મચ્છર બ્રિડિંગ, જુઓ
અમદાવાદ: AMC ના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મળ્યા મચ્છર બ્રિડિંગ, જુઓ
આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી
આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી
બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર રાજકોટના શખ્શ સામે ફરિયાદ
બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર રાજકોટના શખ્શ સામે ફરિયાદ
ભાવનગરમાં હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- Video
ભાવનગરમાં હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- Video
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
g clip-path="url(#clip0_868_265)">