દુબઈ જતા પહેલા ટીમ ઈન્ડિયા લેશે આ કેમ્પમાં ભાગ, રાહુલ દ્રવિડનો ખાસ પ્લાન તૈયાર

એશિયા કપ 2022માં (ASIA CUP 2022) સામેલ થતાં પહેલા ટીમ ઈન્ડિયા બેંગ્લોરમાં ફિટનેસ કેમ્પમાં ભાગ લેશે અને પછી અહીંથી દુબઈ જવા રવાના થશે.

દુબઈ જતા પહેલા ટીમ ઈન્ડિયા લેશે આ કેમ્પમાં ભાગ, રાહુલ દ્રવિડનો ખાસ પ્લાન તૈયાર
Rahul-Dravid-and-Rohit-Sharma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 3:54 PM

ભારતીય ટીમ અત્યારે ઝિમ્બાબ્વેના પ્રવાસ પર છે, પરંતુ આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના ઘણા દિગ્ગજ ખેલાડીઓ નથી. કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલીને (Virat Kohli) આરામ આપવામાં આવ્યો છે. એશિયા કપ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ માટે જે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે તેઓનો બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં 20 ઓગસ્ટથી ફિટનેસ કેમ્પ યોજાશે. બીસીસીઆઈએ એનસીએમાં ફરજિયાત ત્રણ દિવસીય શિબિરનું આયોજન કર્યું છે. આ પછી 23 ઓગસ્ટે ટીમ ઈન્ડિયા દુબઈ જવા રવાના થશે.

ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વેના પ્રવાસે પર છે અને આ પ્રવાસ બાદ મોટાભાગના ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. એશિયા કપ માટે પસંદ કરાયેલા કેટલાક ખેલાડીઓ ઝિમ્બાબ્વેના પ્રવાસે છે, બાકીના આ કેમ્પમાં ભાગ લેશે અને પછી દુબઈ જવા રવાના થશે.

આવો છે કાર્યક્રમ

એશિયા કપ માટે પસંદ કરાયેલા ખેલાડીઓ એનસીએમાં 20 ઓગસ્ટે રિપોર્ટ કરશે. ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડના માર્ગદર્શન હેઠળ એક નાનો ફિટનેસ કેમ્પ યોજાશે. રાહુલ દ્રવિડે ઝિમ્બાબ્વે પ્રવાસ પર ગયા નથી. તેમની જગ્યાએ વીવીએસ લક્ષ્મણને આ પ્રવાસ પર ટીમના કોચ તરીકે મોકલવામાં આવ્યા છે. દ્રવિડ ભારતમાં છે અને કેમ્પમાં ખેલાડીઓનું ધ્યાન રાખશે. આ ટીમ 23 ઓગસ્ટે દુબઈ જવા રવાના થશે. કોઈપણ મોટી ટુર્નામેન્ટમાં ભાગ લેતા પહેલા ટીમને ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડે છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

આ ખેલાડીઓ લેશે સીધી એન્ટ્રી

દીપક હુડ્ડા, આવેશ ખાન અને કેએલ રાહુલ હાલ ઝિમ્બાબ્વેમાં છે. આ તમામ ઝિમ્બાબ્વેથી સિરીઝ પૂરી કરીને સીધા દુબઈ જશે. તેમને ટ્રેનિંગ કેમ્પ અને ફિટનેસ કેમ્પમાંથી છૂટ આપવામાં આવી છે. પરંતુ તે તમામ 23 ઓગસ્ટે દુબઈમાં ટીમ સાથે જોડાશે. દીપક ચહરને પણ એશિયા કપ માટે સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યો છે. તેઓ ઝિમ્બાબ્વેના પ્રવાસે પણ છે અને સીધા દુબઈ પહોંચશે.

આ છે શેડ્યૂલ

ભારતે એશિયા કપમાં તેની પહેલી મેચ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમવાની છે. બંને ટીમોની આ મેચ 28 ઓગસ્ટે રમાશે. આ પછી ભારતે તેની આગામી મેચ 31 ઓગસ્ટે રમવાની છે. આ મેચ ક્વોલિફાયરમાંથી આવતી ટીમ સામે થશે. ભારત વર્તમાન વિજેતા તરીકે ઉતરી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં તેવી આશા રાખવામાં આવી છે કે તે પોતાનું ટાઇટલ જાળવી રાખે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">