Shikhar Dhawan એ આયશા મુખર્જી સાથે છૂટાછેડાને લઈ કહ્યુ-સમજ્યા વિચાર્યા વિના કર્યા હતા લગ્ન

ભારતીય ક્રિકેટર શિખર ધવને પોતાના લગ્ન જીવનના તૂટવાને લઈ બતાવ્યુ હતુ કે, તે લગ્ન જીવનમાં ક્યાં નિષ્ફળ રહ્યો હતો. સાથે જ તેણે બીજા લગ્ન કરવાને લઈ ખૂલીને વાત કરી હતી.

Shikhar Dhawan એ આયશા મુખર્જી સાથે છૂટાછેડાને લઈ કહ્યુ-સમજ્યા વિચાર્યા વિના કર્યા હતા લગ્ન
Shikhar Dhawan એ લગ્ન જીવન તૂટવાનુ બતાવ્યુ કારણ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2023 | 6:14 PM

ભારતીય ક્રિકેટના ઓપનર બેટર શિખર ધવન હાલમાં IPL 2023 ની તૈયારીઓ કરી રહ્યો છે. પંજાબ કિંગ્સનુ સુકાન શિખર ધવન સંભાળી રહ્યો છે. જોકે આ પહેલા તેણે પોતાના લગ્ન જીવને લઈ વાત કરી છે. શિખર ધવન લાંબા સમયથી આયશા મુખર્જી અલગ રહી રહ્યો છે. 2 વર્ષથી તેના લગ્ન જીવનના ભંગાણને લઈ ચર્ચાઓ ખૂબ થઈ છે પરંતુ જોકે શિખર ધવન આ અંગે કોઈ જ વાત કરતો નહોતો. જોકે હવે ગબ્બરે આ મામલામાં મૌન તોડતા વાત કરી હતી. તેણે પોતાના લગ્ન જીવનના ભંગાણને લઈ વાત કરી હતી અને તે તૂટવા પાછળના કારણને બતાવ્યુ હતુ.

શિખર ધવને એક મીડિયા ઈન્ટરવ્યૂમાં આ અંગેની વાતચિત કરી હતી.તેણે એ વાત કહી હતી કે, લગ્નજીવનમાં તેનાથી ક્યાં ચૂક રહી ગઈ. તેણે સંબંધોમાં પોતાનો અનુભવ નહીં હોવાની વાત કહી હતી. સાથે જ ધવને કોઈના પર આંગળીઓ ઉઠાવવાના બદલે લગ્નનો નિર્ણય પોતાનો જ હોવાનુ બતાવ્યુ હતુ. આયશા અને ધવનના લગ્ન વર્ષ 2012માં થયા હતા. આયશાએ ધવન સાથે લગ્ન કરવા અગાઉ પ્રથમ પતિથી છૂટાછેડા લીધા હતા. આયશાની બંને દિકરીઓને શિખરે પોતાનુ નામ આપ્યુ હતુ.

આજે પ્રેમ થાય તો સમજી શકું

લગ્ન જીવનમાં સંબંધનો અનુભવન નહીં હોવાને લઈ શિખર ધવને કહ્યુ હતુ કે, ક્રિકેટમાં આજે જે વાત કરી શકુ છું એ વાત હું 20 વર્ષ પહેલા કરી શક્યો ના હોત. આ બધુ અનુભવને આધારે હોય છે. જ્યારે તે 26-27 વર્ષનો હતો ત્યારે તે સતત ક્રિકેટ રમી રહ્યો હતો, તે કોઈ જ સંબંધોમાં નહોતો. એ ફક્ત મજાક મસ્તી કરતો હતો, પણ જ્યારે પ્રેમ થયો તો એ યુવતીને સમજી ના શક્યો. ધવને કહ્યુ કે, જો આજે તેમને પ્રેમ થાય તો તે સમજી શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ક્રિકેટર ધવને પોતાના બીજા લગ્નના સંદર્ભમાં પણ વાત કરી હતી અને કહ્યુ હતુ કે, હવે તેને બધુ સમજ આવી ગયુ છે. જો તે હવે બીજી વાર લગ્ન કરે છે તો, પ્રથમ વાળી ભૂલ નહીં કરે. હવે તે જાણે છે કે, તેને કેવા પ્રકારની યુવતી જોઈએ છે. તેને કોઈ એવી યુવતી જોઈએ છે, જે તેની સાથે પુરી જીંદગી જીવી શકે.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">