T20 World Cup 2022: ભારત-પાકિસ્તાન મેચને લઈ મોટું અપડેટ, હજારો ચાહકોના દિલ તૂટી ગયા

T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમવા જઈ રહી છે. આ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે

T20 World Cup 2022: ભારત-પાકિસ્તાન મેચને લઈ મોટું અપડેટ, હજારો ચાહકોના દિલ તૂટી ગયા
ભારત-પાકિસ્તાન મેચનું મોટું અપડેટ, હજારો ચાહકોના દિલ તૂટી ગયાImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2022 | 2:27 PM

India Vs Pakistan 2022: ઓસ્ટ્રેલિયામાં 22 ઓક્ટોબરથી ટી20 વર્લ્ડકપ (T20 World Cup 2022)ની શરુઆત થનારી છે, પરંતુ ટીમ ઈન્ડિયાના ચાહકો માટે ટૂર્નામેન્ટની શરુઆત 23 ઓક્ટોબરેથી શરુ થશે. ભારત અને પાકિસ્તાનનો આમનો-સામનો થશે. મેચ પહેલા એ ચાહકોના દિલ તૂટી ગયા છે જે આશા કરી રહ્યા હતા કે તે મેલબોર્નમાં રમાનારી આ મેચ સ્ટેડિયમમાં લાઈવ જોશે. ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan ) આ હાઈવોલ્ટેજ મુકાબલાની તમામ ટિકીટ વેચાય ચૂકી છે. આઈસીસીએ આ વાતની પુષ્ટિ કરી છે.

ભારત-પાકિસ્તાન મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે

ICCએ એક પ્રેસ રિલીઝ જાહેર કરી તેણે કહ્યું કે, ‘ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે રમાનારી T20 વર્લ્ડ કપની મેચની ટિકિટ રિલીઝ થતાની મિનિટોમાં જ વેચાઈ ગઈ હતી. આ મેચ માટે વધારાના સ્ટેન્ડિંગ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. આનો સ્પષ્ટ અર્થ એ છે કે જે ચાહકો ટિકિટ લઈ શક્યા નથી. તેઓ હવે સ્ટેડિયમમાં આ મેચ લાઈવ જોઈ શકશે નહીં. ભારત-પાકિસ્તાન મેચમાં હંમેશા એવું જોવામાં આવ્યું છે કે જેવી ટિકિટ આપવામાં આવે છે થોડીવારમાં જ તમામ વેચાઈ જાય છે. જોકે, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટુર્નામેન્ટની પ્રથમ મેચની ટિકિટ હજુ બાકી છે. આ મેચ સિડનીમાં રમાશે.

એશિયા કપમાં પણ ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ હતી

T20 વર્લ્ડ કપ પહેલા આ વર્ષે ભારતીય ટીમ બે વખત પાકિસ્તાનનો સામનો કરી ચુકી છે. UAEમાં આયોજિત એશિયા કપમાં બંને ટીમો સામસામે આવી હતી. ગ્રુપ રાઉન્ડમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું, પાકિસ્તાને સુપર 4માં આ હારનો બદલો લીધો અને ટીમ ઈન્ડિયાને પાંચ વિકેટથી હરાવ્યું. પાકિસ્તાન ફાઈનલમાં પહોંચી ગયું હતું, પરંતુ ત્યાં તેને શ્રીલંકાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

T20 વર્લ્ડ કપની હારનો બદલો લેવા માંગશે ટીમ ઈન્ડિયા

ગત્ત વર્ષે T20 વર્લ્ડ કપમાં ભારતને પાકિસ્તાનના હાથે શર્મનાક હારનો સામનો કરવો પડ઼્યો હતો. ભારતનો પ્રથમ મુકાબલો પાકિસ્તાન સામે હતો. પાકિસ્તાને આ મુકાબલો 10 વિકેટથી પોતાને નામ કર્યો હતો. આ પહેલી વખત હતુ જ્યારે ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સામે હાર મળી હતી.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">