IND vs WI : એશિયા કપમાં નિષ્ફળતા બાદ શુભમન ગિલે લીધો મોટો નિર્ણય, 3 ખેલાડીઓએ પ્રેક્ટિસ ન કરી
એશિયા કપમાં શુભમન ગિલ કોઈ મોટી ઈનિંગ ન રમી શક્યો, એવામાં આગામી સિરીઝમાં તે પોતાના પ્રદર્શનને સુધારવાનો પ્રયાસ કરશે. જેના માટે તેણે તૈયારી શરુ કરી દીધી છે. 2 ઓક્ટોબરથી શરૂ થનારી વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા તેણે એક મોટો નિર્ણય લીધો હતો, તો બીજી તરફ ટીમનાં ત્રણ ખેલાડીઓ પ્રેક્ટિસમાં હાજર રહ્યા ન હતા.

એશિયા કપ જીત્યા પછી ટીમ ઈન્ડિયાનું આગામી લક્ષ્ય વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી જીતવાનું છે. ટેસ્ટ શ્રેણી 2 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે, અને ટીમ ઈન્ડિયાએ આ શ્રેણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મંગળવારે, આખી ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી, જ્યાં એક ખૂબ જ ખાસ ઘટના જોવા મળી.
ત્રણ ખેલાડીઓએ પ્રેક્ટિસ ન કરી
ત્રણ ખેલાડીઓ સિવાય બધા ખેલાડીઓએ આ પ્રેક્ટિસ સત્રમાં હાજરી આપી. જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ અને અક્ષર પટેલે આરામ કર્યો હતો. બીજી તરફ, એશિયા કપમાં બેટથી નિષ્ફળ રહેલા કેપ્ટન શુભમન ગિલે પ્રેક્ટિસ દરમિયાન એક મોટો નિર્ણય લીધો હતો.
ગિલે લીધો મોટો નિર્ણય
શુભમન ગિલ સમગ્ર એશિયા કપ દરમિયાન એક પણ અડધી સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યો. જોકે, તે હવે વેસ્ટ ઈન્ડીઝ ટેસ્ટ શ્રેણીમાં સારું પ્રદર્શન કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે. ગિલે અમદાવાદમાં વારંવાર પોતાની નેટ બદલી, પેસ અને સ્પિન સામે તૈયારી કરી. તેણે થ્રોડાઉન સામે પણ પ્રેક્ટિસ કરી. જોકે, અહીં મુખ્ય મુદ્દો એ છે કે ગિલને તેની બેટિંગમાં મુશ્કેલી પડી. બોલ ઘણીવાર તેના બેટની નજીકથી પસાર થતો હતો, અને તે બોલને મધ્યમાં લઈ શકતો ન હતો, જે તેના માટે ચિંતાનો વિષય છે.
Only Shubman Gill from the Asia Cup squad has choosen to practice today for the test series vs WI, other players from Asia Cup squad has taken rest.
– Gill was also suggested by the management to take rest but he decided to come for practice session. pic.twitter.com/VEh3C8WcwT
— Ahmed Says (@AhmedGT_) September 30, 2025
આ ખેલાડીઓએ કરી પ્રેક્ટિસ
શુભમન ગિલ ભલે ફોર્મમાં ન હોય, પરંતુ યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ ફોર્મમાં હતા. ધ્રુવ જુરેલે પણ નેટમાં સારી બેટિંગ કરી. સાઈ સુદર્શન અને પડિકલે પણ સારી બેટિંગ કરી. બોલિંગની વાત કરીએ તો, સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ નેટમાં 45 મિનિટ સુધી પ્રેક્ટિસ કરી.
ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ ટેસ્ટ શ્રેણી
વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ છે. છેલ્લી ઘરઆંગણેની શ્રેણીમાં, ટીમ ઈન્ડિયાને ન્યુઝીલેન્ડ સામે 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં પહોંચવાની તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.
આ પણ વાંચો: 177,530,000,000 રૂપિયામાં RCBને ખરીદશે આ વ્યક્તિ, 1446 કરોડ રૂપિયામાં ઘર ખરીદ્યું હતું આલીશાન ઘર
