IND vs SL: KL રાહુલ ટીમ ઈન્ડિયામાંથી બહાર, રોહિત શર્મા-ગૌતમ ગંભીરનો આશ્ચર્યજનક નિર્ણય

શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાએ કેએલ રાહુલને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દીધો હતો. કેએલ રાહુલ છેલ્લી બે મેચમાં ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો, ત્યારબાદ રોહિત શર્મા અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે અંતિમ વનડે મેચમાં આ મોટો નિર્ણય લીધો હતો.

IND vs SL: KL રાહુલ ટીમ ઈન્ડિયામાંથી બહાર, રોહિત શર્મા-ગૌતમ ગંભીરનો આશ્ચર્યજનક નિર્ણય
KL Rahul
Follow Us:
| Updated on: Aug 07, 2024 | 3:36 PM

શ્રીલંકા સામેની ત્રીજી T20માં ભારતીય ટીમે એક એવો નિર્ણય લીધો છે જે ખરેખર આશ્ચર્યજનક છે. ટીમ ઈન્ડિયાએ તેની પ્લેઈંગ ઈલેવનમાંથી બે મોટા ખેલાડીઓને બાકાત રાખ્યા છે. જેમાં એક નામ કેએલ રાહુલનું છે. કેએલ રાહુલની જગ્યાએ ટીમ ઈન્ડિયાએ રિષભ પંતને તક આપી અને તેની સાથે અર્શદીપ સિંહને પણ બહાર કરી દેવામાં આવ્યો, તેની જગ્યાએ રિયાન પરાગને ટીમમાં સામેલ કરવામાં આવ્યો. જેની આ ડેબ્યુ મેચ હશે.

કેએલ રાહુલ સાથે અન્યાય?

કેએલ રાહુલને પ્લેઈંગ ઈલેવનમાંથી બાકાત રાખવાનો નિર્ણય ખૂબ જ વિચિત્ર છે. કારણ કે તેણે પ્રથમ વનડેમાં સારી બેટિંગ કરી હતી, જોકે ટીમ ઈન્ડિયા તે મેચ જીતી શકી નહોતી. બીજી વનડેમાં તે ફ્લોપ રહ્યો હતો પરંતુ મોટી વાત એ છે કે તેને સાતમા નંબર પર બેટિંગ કરવા માટે આવ્યો હતો. એટલું જ નહીં, ટીમ ઈન્ડિયાએ તેના સ્ટ્રાઈક બોલર અર્શદીપ સિંહને પડતો મૂક્યો, જે છેલ્લી બે મેચમાં મોંઘો સાબિત થયો હતો. ટીમ ઈન્ડિયા ત્રીજી T20માં માત્ર એક ઝડપી બોલર મોહમ્મદ સિરાજ સાથે મેદાનમાં ઉતરી હતી.

પ્લેઈંગ ઈલેવનમાં 9 બેટ્સમેન

ત્રીજી વનડેમાં ભારતીય ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં એવા 9 ખેલાડીઓને તક આપી જે બેટિંગ કરી શકે. રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી ઉપરાંત ટીમમાં રિષભ પંત, શ્રેયસ અય્યર, રિયાન પરાગ, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર જેવા ખેલાડીઓ છે જે બેટિંગ કરી શકે છે. આ સિવાય કુલદીપ યાદવ પણ બેટિંગ કરે છે. પ્લેઈંગ ઈલેવનમાં મોહમ્મદ સિરાજ એકમાત્ર એવો ખેલાડી છે જેના બેટ્સમેન તરીકેના આંકડા ઘણા ખરાબ છે. ટીમ ઈન્ડિયાની આ પ્લેઈંગ ઈલેવનથી સ્પષ્ટ છે કે તે પ્રથમ બે વનડેમાં બેટિંગની નિષ્ફળતાથી ચિંતિત હતી અને તેથી જ તેમણે ત્રીજી વનડેમાં 9 બેટ્સમેનોને તક આપી.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

ભારતની પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત, શ્રેયસ અય્યર, રિયાન પરાગ, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.

આ પણ વાંચો: Vinesh Phogat Diet Plan: “હમારી છોરી છોરો સે કમ હૈ કે “શું છે વિનેશ ફોગાટની તાકાત પાછળનું રહસ્ય? ડાયટ પ્લાન વિશે જાણો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">