AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: વિરાટ કોહલીએ DRS વિવાદને લઇને કહ્યુ, ‘બહાર વાળા નથી જાણતા કે મેદાન પર શુ થાય છે’

કેપટાઉન (Cape Town Test) માં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમ (Team India) ના ખેલાડીઓ DRS ના નિર્ણય પર ગુસ્સે થયા હતા અને સ્ટમ્પ માઈક પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

IND vs SA: વિરાટ કોહલીએ DRS વિવાદને લઇને કહ્યુ, 'બહાર વાળા નથી જાણતા કે મેદાન પર શુ થાય છે'
Virat Kohli Resigns as Indian Test Captain
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2022 | 9:04 PM
Share

ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ આ શ્રેણીના અંત સાથે, ડીઆરએસ (DRS) પરની ચર્ચા ફરી મુદ્દો બની ગઈ છે. કેપટાઉનમાં બંને ટીમો વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે આ ટેકનિક ફરી એક વખત સ્કેનર હેઠળ આવી હતી. જ્યારે ડીન એલ્ગરને રવિચંદ્રન અશ્વિન દ્વારા એલબીડબ્લ્યુ આઉટ કરવામાં આવ્યો ન હતો. આ પછી ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સહિત અશ્વિન અને કેએલ રાહુલે સ્ટમ્પ માઈક પર આવીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. અશ્વિને સ્પષ્ટપણે બ્રોડકાસ્ટર સુપરસ્પોર્ટ નું નામ લીધુ હતું.

ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ શુક્રવારે તમારા સાથી ખેલાડીઓના વર્તનનો બચાવ કર્યો છે. કોહલીએ કહ્યું છે કે બહાર બેઠેલા લોકોને ખબર નથી હોતી કે મેદાનમાં શું ચાલી રહ્યું છે.

ત્રીજા દિવસે ભારતીય ટીમના ખેલાડીઓના વર્તનની ઘણા દિગ્ગજોએ ટીકા કરી હતી. દક્ષિણ આફ્રિકાએ ત્રીજી મેચના ચોથા દિવસે ભારતને સાત વિકેટે હરાવ્યું અને ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી 2-1 થી જીતીને ભારતને ઈતિહાસ રચવા દીધો નહીં. જો ભારતીય ટીમ આ મેચ જીતી ગઈ હોત, તો તેણે શ્રેણી જીતી હોત અને દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતી હોત.

મારે તેની પર કોઇ વાત નથી કરવી-કોહલી

મેચ બાદ કોહલીએ કહ્યું કે હવે તેને આ મુદ્દા સાથે કોઈ લેવાદેવા નથી. મેચ બાદ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “મારી આ અંગે કોઈ ટિપ્પણી નથી. અમે સમજીએ છીએ કે મેદાન પર શું થયું. પરંતુ બહારના લોકો મેદાનમાં બનતી વસ્તુઓ વિશે બરાબર જાણતા નથી. મારા માટે ખેલાડીઓએ જે કર્યું તેને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કરવા અને કહેવા માટે કે અમે તેને હળવાશથી લીધુ… જો અમે ત્યાં ત્રણ વિકેટ લીધી હોત, તો તે મેચ બદલાતી ક્ષણ બની હોત. અમે આખી મેચ દરમિયાન લાંબા સમય સુધી તેના પર વધારે દબાણ ન કરી શક્યા અને તેથી જ અમે મેચ હારી ગયા.”

વિવાદ ઉભો કરવા માંગતા નથી

કોહલીએ કહ્યું કે તે અને તેની ટીમ આ મુદ્દા પરથી આગળ વધી છે અને કોઈ વિવાદ ઉભો કરવા નથી માંગતા. તેણે કહ્યું, “તે એક ક્ષણ વિવાદ ઉભો કરવા માટે પૂરતી હોઈ શકે છે પરંતુ મને વિવાદ ઉભો કરવામાં રસ નથી. તે ક્ષણ સમાપ્ત થઈ ગઈ છે અને અમે તેમાંથી આગળ વધી ગયા છીએ. અમારું ધ્યાન માત્ર રમત પર છે. અમે વિકેટ લેવાનો પ્રયાસ કર્યો.

આ હતો વિવાદ

આ વિવાદ ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સની 21મી ઓવરમાં થયો હતો. અશ્વિનનો બોલ ડીન એલ્ગરના પેડ પર વાગ્યો હતો. ભારતીય ટીમે અપીલ કરી અને અમ્પાયર મારિયસ ઈરાસ્મસે એલ્ગરને આઉટ આપ્યો. એલ્ગરે આ અંગે સમીક્ષા કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે બોલ સ્ટમ્પની ઉપર જઈ રહ્યો છે, જો કે સામેથી જોવામાં તે સ્પષ્ટ દેખાતો હતો. પરંતુ થર્ડ અમ્પાયરે DRS હેઠળ એલ્ગરને નોટઆઉટ જાહેર કર્યો હતો.

આ જોઈને બધાને નવાઈ લાગી. અમ્પાયર ઈરાસ્મસે પણ આ નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને સ્ટમ્પ માઈકમાં ‘તે અશક્ય છે’ એમ કહેતા સાંભળવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Badminton U19: પોલીસ કર્મીની પુત્રીનો વિશ્વ સ્તરે કમાલ, પિતાએ શિખવી રમત અને પુત્રીએ નેહવાલ-સિંધૂને પાછળ છોડી બની નંબર 1

આ પણ વાંચોઃ Sport: નાઓમી ઓસાકા વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી મહિલા એથ્લેટ બની, ફોર્બ્સે જારી કરી નવી યાદી

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
g clip-path="url(#clip0_868_265)">