AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs New Zealand મેચ રિપોર્ટ: ન્યુઝીલેન્ડમાં ફરી વનડે સિરીઝમાં ભારતને મળી હાર

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand ) વચ્ચે ક્રાઈસ્ટચર્ચ ODI વરસાદને કારણે રદ્દ, યજમાનોએ સિરીઝ 1-0થી જીતી.ક્રાઈસ્ટચર્ચમાં ભારતની બેટિંગ ફ્લોપ સાબિત થઈ હતી.

India vs New Zealand મેચ રિપોર્ટ: ન્યુઝીલેન્ડમાં ફરી વનડે સિરીઝમાં ભારતને મળી હાર
ન્યુઝીલેન્ડમાં ફરી વનડે સિરીઝ હાર્યું ભારત Image Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2022 | 3:15 PM
Share

ન્યુઝીલેન્ડે ટી 20 સિરીઝમાં હાર મળ્યા બાદ વનડે સિરીઝ પોતાના નામ કરી હતી. કેન વિલિયમસનની કેપ્ટનશીપમાં કીવી ટીમે 1-0થી વનડે સિરીઝ જીતી. વનડે સિરીઝની 2 મેચ વરસાદના કારણે રદ થઈ હતી. જ્યારે પ્રથમ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રીજી વનડેમાં વરસાદ આવવાથી મેચ રદ કરવામાં આવી છે. ભારતીય ટીમ 219 રન જ બનાવી શકી હતી જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 18 ઓવરમાં 104 રન બનાવી ચૂકી હતી. ત્યારપછી ક્રાઈસ્ટચર્ચમાં વરસાદ પડ્યો અને ડકવર્થ-લુઈસના નિયમ મુજબ મેચનું પરિણામ આવી શક્યું નહીં કારણ કે ODI ક્રિકેટમાં મેચ અટકાવતા પહેલા ઓછામાં ઓછી 20 ઓવર જરૂરી હતી.

ક્રાઈસ્ટચર્ચમાં ભારતની બેટિંગ ફ્લોપ સાબિત થઈ હતી. માત્ર વૉશિગ્ટન સુંદર અને શ્રેયસ અય્યરે વિકેટ પર ટકવા મહેનત કરી હતી. સુંદર 51 અને શ્રેયસ અય્યર 49 રનની ઈનિગ્સ રમી હતી. તે સિવાય કેપ્ટન ધવન 28 શુભમન ગિલ 13,ઋષભ પંત 10 રન જ બનાવી શક્યા હતા. સૂર્યકુમાર યાદવ માત્ર 6 રન બનાવી આઉટ થયો હતો. દિપક હુડ્ડાએ 12 રનની ઈનિગ્સ રમી હતી.

ન્યુઝીલેન્ડનું શાનદાર પ્રદર્શન

વરસાદથી પ્રભાવિત આ મેચમાં ન્યૂઝીલેન્ડના ઓપનર ફિન એલને શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 54 બોલમાં 57 રન બનાવ્યા હતા. ડેવોન કોનવેએ અણનમ 38 રન બનાવ્યા હતા. ભારત તરફથી એકમાત્ર વિકેટ ઉમરાન મલિકને મળી હતી. ન્યુઝીલેન્ડ તરફથી ડેરીલ મિશેલે 3 વિકેટ ઝડપી હતી. આ સાથે જ એડમ મિલ્નેએ પણ ત્રણ વિકેટ લીધી હતી. ટિમ સાઉદીએ બે વિકેટ ઝડપી હતી. લોકી ફર્ગ્યુસન અને સેન્ટનરને 1-1 વિકેટ મળી હતી.

સતત બીજી વનડે સીરિઝમાં હાર્યું ભારત

તમને જણાવી દઈએ કે, ન્યુઝીલેન્ડમાં સતત બીજી વનડે સીરિઝમાં ભારતને હાર મળી છે. વર્ષે 2020માં ભારતીય ટીમે ટી 20 સિરીઝ પોતાને નામ કરી હતી પરંતુ વનડે સિરીઝમાં તેને 0-3 હાર મળી હતી. આ વખતે પણ ભારતે ટી 20 સિરીઝ જીતી હતી. આ વખતે ભારતે ટી20 સિરીઝ જીતી અને વનડે સિરીઝમાં હાર મળી હતી.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">