IND vs ENG : જસપ્રીત બુમરાહ ઓવલ ટેસ્ટમાં નહીં રમે? કોચે ખોલ્યું રહસ્ય
ટીમ ઈન્ડિયાએ લંડનના કેનિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ રમવાની છે. શ્રેણીને ડ્રો પર સમાપ્ત કરવા માટે તેમને આ મેચ કોઈપણ કિંમતે જીતવી પડશે. આ મહત્વપૂર્ણ મેચ પહેલા ભારતના બેટિંગ કોચ સિતાંશુ કોટકે જસપ્રીત બુમરાહ અંગે એક મોટી અપડેટ આપી છે.

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર બુમરાહ આ મેચમાં રમશે કે નહીં, તે મોટો સસ્પેન્સ છે. વર્કલોડ મેનેજમેન્ટના કારણે તેને શ્રેણીમાં ફક્ત 3 મેચ રમવાની હતી અને તેણે 3 મેચ રમી છે. પરંતુ છેલ્લી મેચ ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ છે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 1-2 થી પાછળ છે. આવી સ્થિતિમાં, શ્રેણી ડ્રો કરવા આ મેચ કોઈપણ કિંમતે જીતવી પડશે.
બેટિંગ કોચે બુમરાહ અંગે આપી અપડેટ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી આ મેચ પહેલા ભારતના બેટિંગ કોચ સિતાંશુ કોટકે જસપ્રીત બુમરાહ અંગે મોટી અપડેટ આપી છે. સિતાંશુ કોટકે સ્પષ્ટતા કરી છે કે બુમરાહ હાલમાં ફિટ છે અને તેનો વર્કલોડ મેનેજમેન્ટ બેલેન્સ છે. કોચના મતે, બુમરાહએ છેલ્લી મેચમાં એક ઈનિંગ બોલિંગ કરી હતી અને હવે કેપ્ટન, કોચ અને ફિઝિયો તેની ઉપલબ્ધતા અંગે સાથે મળીને નિર્ણય લેશે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ અંતિમ ચર્ચા થઈ નથી.
કોચ, ફિઝિયો, કેપ્ટન લેશે નિર્ણય
ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીરે પણ આ મહત્વપૂર્ણ મેચમાં બુમરાહના ભાગ લેવાની શક્યતાને નકારી ન હતી. કોટકે મંગળવારે આ વાતનો ઉલ્લેખ કર્યો. મેચના બે દિવસ પહેલા કોટકે કહ્યું હતું કે, ‘બુમરાહ હવે તેના વર્કલોડ પ્રમાણે ફિટ છે. તેણે છેલ્લી મેચમાં એક ઈનિંગમાં બોલિંગ કરી હતી. તેથી સ્વાભાવિક છે કે મુખ્ય કોચ, અમારા ફિઝિયો અને કેપ્ટન ચર્ચા કરીને નિર્ણય લેશે. હજુ સુધી કોઈ ચર્ચા થઈ નથી. આ પહેલા ગંભીરે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે પણ પુષ્ટિ કરી હતી કે ટીમના બધા ફાસ્ટ બોલરો ફિટ છે, જેનો અર્થ છે કે અર્શદીપ સિંહ અને આકાશ દીપ ઈજાઓમાંથી સ્વસ્થ થઈ ગયા છે.
VIDEO | India’s batting coach Sitanshu Kotak did not rule out Jasprit Bumrah’s participation in the series-deciding fifth Test against England. Kotak said, “He (Jasprit Bumrah) is fit as per his workload. We will have a discussion and then decide.”
(Full video available on PTI… pic.twitter.com/b9W51ruWTr
— Press Trust of India (@PTI_News) July 29, 2025
સિરાજના વર્કલોડ વિશે શું કહ્યું?
મોહમ્મદ સિરાજ વિશે પૂછવામાં આવેલા પ્રશ્ન પર કોટકે કહ્યું કે ભલે સિરાજ આખી શ્રેણી રમી ચૂક્યો હોય, તેમનો વર્કલોડ સંતુલિત છે. તેણે કહ્યું કે ખેલાડીઓના વર્કલોડનું નિરીક્ષણ GPS સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે, જે દર અઠવાડિયે ઓવરની સંખ્યા અને થાકનું વિશ્લેષણ કરે છે. સિરાજનો વર્કલોડ અત્યાર સુધી બરાબર રહ્યો છે અને કોઈ ‘સ્પાઈક’ થયો નથી.
સિરાજ રમવા માટે તૈયાર
કોચે એ પણ સ્પષ્ટ કર્યું કે વર્કલોડ ફક્ત મેચમાં ફેંકવામાં આવેલી ઓવરો સાથે જ સંબંધિત નથી, પરંતુ આખા અઠવાડિયા દરમિયાન પ્રેક્ટિસ અને રમતની કુલ પ્રવૃત્તિઓ સાથે પણ સંબંધિત છે. સિરાજને થાક લાગે તો જ આરામ આપવામાં આવશે. અન્યથા તે રમવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
આ પણ વાંચો: IPL 2026 પહેલા આ ટીમે લીધો મોટો નિર્ણય, મુખ્ય કોચને હટાવ્યા
